SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ જેમ એ પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા ૨સભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે. પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે; દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરા મુક્તિ તેઓ ન માગે. પ્રેમની વાત પરીક્ષિત પ્રીછયો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો; જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી; પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ઠે; જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે; નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતસતીને તો સ્વપ્ન ન આવે. (૨૪) આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે' (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્યર્થી પુરુષ+અર્થી પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ =
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy