SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૦૫ આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ’ ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિવિ’ જરૂર છે. મધ્યકાલીન ભક્તિઆંદોલન નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધીના, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા પ્રેમભક્તિ' પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી? માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે. જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત - લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હિરવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચિરત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો એકાન્તિક
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy