SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો ૪૭ ચડે છે એનું મુખ્ય કારણ એ છે કે પહાડી ભાષાઓ બોલનારી પ્રજા મૂળ ઉત્તરપશ્ચિમના પ્રદેશોમાંનું પોતાનું નિવાસસ્થાન મૂકીને પૂર્વના હિમાલયની ખીણોના પ્રદેશોમાં વસવા લાગી અને ગંગા-જમના પ્રદેશમાં રહેનારી પ્રજાઓના નિકટના સંબંધમાં આવી.' ઉદાહરણ : સં. ૨વર -સિ. રત, પં. લ. રત્ત, (નેપાળી) પહાડી રાતો, હિં. મ. આ. બ. ઊ. રાતા, ગુ. રાતું, સિંહલી. રત, કા. રત. સં. રાત્રિ – સિ. રાતિ, ૫. લ. પહાડી, હિં. ગુ. મ. રાત, આ. ઊ. રતિ, બ. રાત, સિંહલી રાય, કા. રથ. આ ત્રણ પરિવર્તનોને આધારે ઉત્તરપશ્ચિમ જૂથનું અનુમાન થઈ શકે છે. મૂળ ભાષાપરિવારથી જુદું પડ્યા બાદ એમાં અન્ય પરિવર્તનો થતાં ઉત્તરપશ્ચિમ જૂથનાં જે પેટાજૂથો પડ્યાં, એ નીચે પ્રમાણે સૂચવી શકાયઃ પ્રાફ પંજાબી-લહંધ-સિંધી-પહાડી-દરદ (ઉત્તરપશ્ચિમ જૂથ) * પ્રાફ પંજાબી-લહંદાનસિંધી | | | પ્રાક પંજાબી-લહંદા પહાડી ભાષાઓ દરદ ભાષાઓ સિધી સિંધી ) કચ્છી લહંદા પંજાબી દરદ ભાષાઓ નીચેનાં લક્ષણોથી અળગી થાય છે : (૧) સ્વરાંતર્ગત અસંયુક્ત સ્પર્શ વ્યંજનોના લોપના અભાવથી (અન્યત્ર, બીજી બધી ભારતીય આર્યભાષાઓમાં લોપ થાય છે, (૨) સંયુક્ત વ્યંજનોના વિશિષ્ટ વિકાસથી, (૩) ઉખવ્યંજનોના વિશિષ્ટ વિકાસથી, - અર્થાત્ સ, શ અને ષના ભેદને કોઈ ને કોઈ સ્વરૂપે જાળવી રાખવાથી અન્યત્ર આ ત્રણ વર્ષો બે અથવા એક થઈ જાય છે.), (૪) મહાપ્રાણ વ્યંજનોના અભાવથી (કાશ્મીરીમાં અંત્યસ્થાનમાં આવેલા
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy