SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી કરતા હતા.તેમજ કોલેજના પ્રિન્સિપાલ જમશેદજી અરદેશર દલાલ પણ શ્રીયુત આનન્દશંકરભાઈના અંગ્રેજી જ્ઞાનનાં પણ તેવાંજ વખાણ કરતા હતા. બંને અધ્યાપકેના એ પ્રિય શિષ્ય હતા. કૅલેજના જીવનમાં તે વખતની ફર્સ્ટ બી. એ. ની પરીક્ષામાં ગણિતના વિષયમાં નિષ્ફળ જવાથી તે વર્ષે સંસ્કૃતમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવ્યા છતાં એમણે ઇનામ ગુમાવ્યું. તે પછીને વર્ષે ફર્સ્ટ બી.એ, અને બી. એ. ની પરીક્ષા એક સાથે આપી બીજે વર્ષે બંનેમાં ઉત્તીર્ણ થયા હતા. તેમના સંસ્કૃત જ્ઞાનથી તેમજ અભ્યાસથી તેમના પ્રોફેસર કાથવટે સાહેબ મુગ્ધ બન્યા હતા; એટલું જ નહિ પણ અમને મળેલી માહિતી ખરી હોય તે સ્વ. પ્રો. મણલાલ નભુભાઈ દ્વિવેદી યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક પણ આનન્દશંકરભાઈના સંસ્કૃત જ્ઞાન વિષે ઉચ્ચ મત ધરાવતા હતા. પરિણામે તેમની સાથે પરિચય થયે, જે આગળ જતાં મિત્રોરૂપે ઉદ્દભવ્યો હતો તે સુવિદિત છે. બી. એ. થયા પછી એમ. એ; અને એલ એલ. બી. ની પરીક્ષાનો અભ્યાસ કરી ઉત્તીર્ણ થયા. ઈ. સ. ૧૮૮૨ માં તેમનું પ્રથમ લગ્ન થયું હતું. સન ૧૮૯૦ માં વિધુરાવસ્થા પ્રાપ્ત થતાં, સન ૧૮૯૧ માં ફરી લગ્ન થયેલું; અને સન ૧૯ ૦ ૩ માં એમના બીજા પત્ની મૃત્યુ પામેલાં. તે પછી એમણે ફરી લગ્ન કર્યું નથી. એમના સંતાનમાં બે પુત્રીઓ અને બે પુત્રો છે, જેમાંના એક ધ્રુવભાઈ ઓકસફર્ડની ડિગ્રી લઈ આવેલા છે અને બીજા હાના પુત્ર પ્રફ્લાદભાઈ હાઈકેટ વકીલ છે. સન ૧૮૯૩ માં પ્રો. કાથવટેની બદલી થતાં, તેમને સંસ્કૃતના અધ્યાપક નિમવામાં આવ્યા હતા. કૅલેજમાં જેટલો સમય રહ્યા તેટલો સમય માત્ર સંસ્કૃત ન શિખવતાં અંગ્રેજી, ન્યાય, તત્ત્વજ્ઞાન વગેરે વિષયના વર્ગ લેતા અને છેવટે પ્રિન્સિપાલ તરીકે પણ તેમણે કેટલોક સમય કાર્ય કર્યું હતું. સરકાર હસ્તક કોલેજ સંપાયા બાદ કેટલેક વર્ષે તેમની બદલી એલ્ફીન્સ્ટન કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે થઈ; પરંતુ તે જ અરસામાં બનારસ હિંદુ યુનિવર્સિટી માટે પંડિત મદનમોહન માલવિયાજીએ એક સારા પ્રિન્સિપાલની માગણી કરતાં, મહાત્મા ગાંધીજી અને સર લલ્લુભાઈએ એમનું નામ સૂચવ્યું. ત્યારથી (૧૯૨૦) તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ અને -વાઇસ ચાન્સેલર તરીકે કામ કરે છે, અને એમનું એ કાર્ય વશરવી નિવડ્યું છે, એમ ચાદિશામાથી સાંભળવામાં આવતી પ્રશંસા પરથી કહી શકાય.
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy