SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ચેતનામાં પડતું ઇન્દ્રિયપ્રત્યક્ષ—આ બધું કઈ રીતે બને છે તેનું આપણને જ્ઞાન નથી. છતાં આપણે એટલું કહી શકીએ કે બાળકની ચેતનાના વહેંતા પ્રવાહમાં જ્યારે બાહ્ય જગતનું પ્રતિબિંબ પડે છે, ત્યારે હજી આપણી જાગ્રત ખાદ્યાભિમુખ ચેતના એનામાં હજી ધડાઈ નથી, પર ંતુ આપણે જેના ઉપર ઉલ્લેખ કર્યા તેવી સ્થલકાલ વગરની આંતરચેતનામાં આ ઇન્દ્રિયપ્રત્યક્ષાના તણખા પડે છે, અને એ ચેતનામાં વ્યક્તિ-સમષ્ટિ, વ્યક્તિ—જાતિ, વિશેષ–સામાન્ય, સ્થલ-કાલ...બધું જ એકબીજામાં એતપ્રેત રહેલું હાય છે, અને તેમાંથી બાળક જેમ જેમ મોટુ થાય છે તેમ તેમ વિચારના વિકલ્પન વ્યાપાર દ્વારા બધાં ોનાં ગા છૂટાં પડે છે, અને વ્યક્તિગત અનુભવ વ્યવહા` બને છે તથા મેટું થયે માણસ ખાદ્ય પદાર્થોં ઉપર હેતુપુરઃસર કાર્યાં કરી શકે છે. આ ભૂમિકામાં ઇન્દ્રિયપ્રત્યક્ષના બાહ્ય વિષય, તેમાં રહેલા ભિન્ન ભિન્ન સામાન્ય ગુણા, સમાન જાતિ વગેરે જેને પ્લેટા “ E i d ē '_ Ideas કહે છે તે પ્રત્યેક પદાર્થીમાં અનુસ્મૃત (Immanent) છે એમ લાગે છે. આ થયેા પ્લેટાને · M e th e x i s ''-view. પરંતુ વિચારની આ ભૂમિકા ઉપર જ વ્યક્તિની ચેતના હરહ ંમેશ રહેતી નથી. વિચાર ઉપરાંત માણસમાં મનેભાવ (emotions) તથા સાહજિક વૃત્તિ (instinc!s) પણ હોય છે, અને આ વૃત્તિએમાં માણસ પોતે ખાદ્ય પદાર્થોનું પૃથક્કરણ કરી, તેનું જ્ઞાન મેળવી ખાદ્ય વિશ્વ ઉપર પ્રભુત્વ મેળવવાના પ્રયત્ન કરતેા નથી, પરંતુ ખાદ્ય પદાર્થા સાથે તાદાત્મ્ય સાધી પેાતાના જીવનમાં તેમને ઉતારવાના પ્રયત્ન કરે છે. આનાથી આગળ જઈ આપણે કહી શકીએ કે જ્ઞાન એ પ્રકારનાં છે : ઉપયોગમાં આવે તેવું વ્યવહા જ્ઞાન (discursive knowldge) અને બીજી જ્ઞાતા અને જ્ઞેય, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર બન્ને વચ્ચે તાદાત્મ્ય સાધતું બીજા પ્રકારનું જ્ઞાન– આપણી વ્યાપક આંતરિક ચેતના બાહ્ય વિષયને તેના સ્થલ અને કાલનાં તેમજ બીજા સબંધેામાંથી મુકત કરીને, તાદાત્મ્ય દ્વારા જ્ઞાન
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy