SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પર એ ઈચ્છા કરે તે પણ ભાગ્યે જ એ તેને આસ્વાદ લઈ શકે. - ત્યારે વિવેકના પ્રેમીને બંને પ્રકારનો અનુભવ છે એ કારણે નફાના લેભી કરતાં એ મેટો લાભ ઉઠાવે છે, ખરું ને ? (૪) હા, બહુ મોટો. વળી, કીર્તિનાં સુખોનો એને વધારે અનુભવ છે, કે પછી કીર્તિના ભૂખ્યાને વિવેકનાં સુખને ? તેણે કહ્યું: ના, જેટલે અંશે તેઓ પોતપોતાના આદર્શ સાથે છે, એટલે અંશે એ ત્રણેને ભાવ મળી રહે છે; કારણ કે ધનવાન માણસ તથા શરીર માણસ તથા વિવેકી માણસ એ ત્રણેને પોતપોતાના પ્રશંસકોનું મંડળ હોય છે, અને એ ત્રણેને કીતી તે મળી રહે છે તેથી કીર્તિનાં સુખોનો એ ત્રણેને અનુભવ હોય છે જ; પણ ખરેખરા સતના જ્ઞાનમાંથી જે આનન્દ સાંપડે છે એને અનુભવ તો માત્ર ફિલસૂફને જ થાય છે. (૩) ત્યારે તો બીજા કોઈના કરતાં એના અનુભવને લીધે એ વધારે સારી રીતે ન્યાય કરવાને શક્તિમાન થશે એમ જ ને ? બહુ જ સારી રીતે. અને વિવેક તેમજ અનુભવ જે કાઈનામાં હેય, તો એકલા એનામાં જ છે, નહિ ? અવશ્ય. વળી નિર્ણય કરવાના સાધનરૂપે જે શક્તિ રહેલી છે તેને લેભી અથવા મહત્ત્વાકાંક્ષી માણસમાં અભાવ છે, જ્યારે એ માત્ર ફિલસૂફમાં રહેલી છે ? કઈ શક્તિ ? આપણે કહેતા હતા તેમ, જેણે છેવટનો નિર્ણય કરવાને છે તે બુદ્ધિ. * સરખાવો ઉપર સારામાં સારા ન્યાયાધીશ તથા સારામાં સારા વૈદ્ય. પરની ચર્ચા: ૪૦૮-૪૦૯ તથા જુઓ લેઝઃ પુ. ૧૨; ૯૫૦ વ,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy