SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ४८९ પરિછેદ છે કરે છે, અને બીજા કોઈને પણ હોય એના કરતાં એની જરૂરિયાત પણ વધારે હોય છે. અને એના સમસ્ત આત્માનું નિરીક્ષણ કેમ કરવું એ જે તમે જાણતા હો તો તમને ખબર પડશે કે એનામાં ખરેખરું દારિદ્ય રહેલું છે; આખી જીંદગીભર એને ભય લાગ્યા જ કરે છે, અને જે રાજ્યની સાથે એને સરખાપણું છે તે રાજ્યની માફક એ પણ અનેક વિક્ષેપોથી ભરેલું હોય છે અને એને તાણ આવતી હોય છે. અને એ બે વચ્ચે સામ્ય તે અચૂક છે જ ? તેણે કહ્યું: સાવ સાચું. (૫૮૦) વળી આપણે અગાઉ કહેતા હતા તેમ સત્તા મળવાથી એ ઉલટ વધારે દુષ્ટ થાય છે. પહેલાં હતો તેના કરતાં એ વધારે ઈર્ષ્યાળુ, વધારે વિશ્વાસઘાતી, વધારે અધમ, વધારે મિત્રહીન અને વધારે અપવિત્ર થાય છે અને અવશ્ય એ એવો છે જ; દરેક પ્રકારના દુર્ગુણમાં એ મગરૂરી લે છે, અને એની સામગ્રી પણ પૂરી પાડે છે, અને પરિણામ એ આવે છે કે એ પરમ દુઃખી થાય છે તથા એ બીજાં બધાંને પોતાના જેટલાં જ દુઃખી કરે છે. કોઈ પણ સમજુ માણસ તમારા શબ્દો સામે ઝઘડો નહિ કરે. મેં કહ્યું ત્યારે અહીં આવો,* અને નાટયકલાની હરીફાઈઓમાં જેમ મધ્યસ્થ પરીક્ષક (૨) જાહેર કરે છે તેમ, તમે પણ તમારે નિર્ણય જણ કે સુખની પંક્તિમાં કાણું પહેલે છે અને કોણ બીજો છે; તથા બીજા કયા અનુક્રમમાં આવે છે. કુલ તેઓ પાંચ જણ છે–રાજવી, શિષ્ટશાસનવાદી, મૂડીવાદી, પ્રજાસત્તાવાદી અને જુલમી. તેણે જવાબ આપ્યોઃ નિર્ણય સહેલાઈથી બાંધી શકાશે; ગાયકગણુ તરીકે તેઓ રંગભૂમિ પર આવશે, અને સગુણ તથા દુર્ગુણ, સુખ તથા દુઃખના ધોરણ અનુસાર+ તેઓ જે ક્રમમાં દાખલ થાય તે પરથી મારે એમને ન્યાય કરવાને છે. * મુદ્દો ૪. ધર્મ અને અધર્મ વચ્ચેના ઝઘડાનો છેવટનો ચૂકાદો. + ઉપર જુઓ પહ૬ વ.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy