SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ અને છતાં મિતત્વને સદગુણ કંઈ નાને સૂ નથી. આત્મામાં બુદ્ધિનું અંગ બહુ નાનું હોય છે, પ્રાણનું જરા એથી મોટું, અને કામનું “શરીર સૌથી મોટું હોય છે. બુદ્ધિને અંશ પ્રમાણમાં નાનો છે, તો પણ બીજા બંને અંશે ઉપર એણે રાજ્ય ચલાવવાનું છે, અને પ્રાણ તથા કામનાં તત્તવોએ બુદ્ધિનું નિયંત્રણ રવીકારવાનું છે, આવા નિયંત્રણવાળા આત્મામાં જ સપ્રમાણતા જળવાઈ રહે છે, અને આ સપ્રમાણતામાંથી મિતત્વને સગુણ ઉત્પન્ન થાય એટલે કે તેના અભિપ્રાય અનુસાર મિતત્વ બે પ્રકારનાં છે–એક જ્યારે માત્ર કામનું તત્વ બુદ્ધિનું નિયંત્રણ સ્વીકારે ત્યારે, બીજું જેમાં સમસ્ત આત્મા બુદ્ધિના આદેશ પ્રમાણે વર્તીને આખા જીવનમાં મિતત્વ રેલાવી દે છે. આ બીજી દષ્ટિએ મિતત્વને સગુણ માત્ર કામના વિશિષ્ટ તત્વ કે તેના વ્યાપારને જ નહિ પરંતુ આભાસમતને ધર્મ થઈ રહે છે." પ્લેટના એક બીજા સંવાદમાં ૬ ફુટ રીતે આ વિચાર મળી આવે છે; તે આનાથી આગળ જઈ આપણે એમ કહેવું હોય તે કહી શકાય કે આત્માના સગુણે અનેક ભૂમિકા પર જુદા જુદા વિશિષ્ટ રૂપે આપણને મળી આવે છે. કામના તત્વને મિતત્વને સગુણ ઉચ્ચતર ભૂમિકા પર આત્મા સમસ્તમાં સપ્રમાણતા, શક્તિ અને સંવાદ તથા સૌંદર્ય ઉત્પન્ન કરે છે, તેમજ શૌર્યના સગુણમાં સામાન્ય ભૂમિકા પર આપણે શાનાથી બીવું અને સાથી ને બીવું એ વિશેને પાકે અભિપ્રાય બંધાયેલ હોય છે, તેને લીધે ઉચ્ચતર ભૂમિકા ઉપર તે આત્મામાં વીર્ય કે ઓજસ પેદા કરે છે, અને બુદ્ધિને નાનામાં નાને કે ઊંડામાં ઊંડો વિવેક અનેક ભૂમિકા પર વસી શકે છે એ સૌ કોઈ કબુલ કરશે. સદગુણોનું સામાન્ય નિરૂપણ કર્યા પછી આદર્શ સમાજ” માં ચર્ચા જેમ જેમ ઉડે જતી જાય છે તેમ ૬૫, જુઓ ૪૪૧ ; તથા ૪૩૦, ૪૪૧ ૬, ૪૪૨ ૩ ૪૪૩ વગેર, ૬૬, “s y m n o si um.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy