SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ અંતિમ સમન્વય કરી શકે એટલે સુધી માનવ મુદ્દિની મદદ વડે, માત્ર ઇન્દ્રિયપક્ષેાના પાયા ઉપર સ્થપાયેલ વિજ્ઞાન આગળ જઈ શકશે કે કેમ એ આજે પણ એક સવાલ થઈ પડયો છે; આમ છતાં પ્લેટ ફિલસૂફીની દૃષ્ટિએ નિરૂપણ કરે છે કે માનવ બુદ્ધિ આ ઊર્ધ્વ માગે પ્રવાસ કરતી કરતી જ્યારે એક અંતિમ તત્ત્વ પાસે લગભગ પહોંચે છે, ત્યારે એ મૂર્છિત થાય છે. કારણુ જે રીતે આપણે ખીજાં તત્ત્વાનું જ્ઞાન મેળવી શકીએ છીએ એ રીતે અંતિમ ત્તત્ત્વનું જ્ઞાન મળી શકતું નથી; કારણ આપણે જ્ઞાનનું જે સ્વરૂપ માનીએ છીએ તેવા જ્ઞાનના વિષય એ તત્ત્વ થઈ શકતું નથી. }, ,, ખાદ્ય વિશ્વની ક્ષણભંગુર વસ્તુઓનાં ચિરસ્થાયી તત્ત્વાથી પ્લેટા શરૂઆત કરે છે; અને ભિન્ન ભિન્ન તત્ત્વાનાં ખડુત્વ આગળ મુદ્ધિને વિરામ ન મળી શકે તેથી પ્લેટા એક તત્ત્વ સુધી પહેાંચવા પ્રયત્ન કરે છે.૪૪ પરંતુ એ ભૂમિકા પર ચડવા જતાં જ્ઞાનના સ્વરૂપમાં રહેલા ચૈતનું પ્લેટાને ભાન થયું હોય એમ લાગે છે, કારણ સામાન્ય તત્ત્વા ( “ E i d S * E i d o s ' "Idea") બુદ્ધિના વિષયરૂપ રહેલાં છે, એટલે કે માનવષુદ્ધિ અને તેના વિષય વચ્ચે જે દ્વૈત રહેલું છે તે સૌથી છેલ્લી ભૂમિકા પર આવતાં પ્લેટાને ખૂંચે છે. જો આખું વિશ્વ એક હાય, જો જ્ઞાન પણ એક હાય, તેા બુદ્ધિ અને તેના વિષય વચ્ચેનું દ્વૈત પણ અંતે એગળી જવું જોઈએ; અહીં આપણે એવા તત્ત્વ પાસે આવી પહેાંચીએ છીએ કે જેને તત્ત્વ એવું નામ પશુ ન આપી શકાય; કારણ આપણી બુદ્ધિ, એના વિષય અને એ બંને વચ્ચેના યથા સબધ જે જ્ઞાન–એ ત્રણે જેને લીધે અસ્તિત્વ ધરાવે છે તે—આ છે. પ્લેટા અહીં પેાતાનું રૂપક ખુલે છે, અને ઉદાહરણ દ્વારા એ તત્ત્વ જેને એ ઇનું તત્ત્વ કહે છે. તે કેવું હોઈ શકે તે સમજાવવા પ્રયત્ન કરે છે. આપણને આંખા છે અને ૪૪, જીએ પિર, ૬-૫૦૭ ૪ થી ૫૦૯
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy