SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ અને ખરી રીતે તે એના વિરુદ્ધનું જે આચરણ અત્યારે પ્રચલિત છે એ જ કુદરત (ના નિયમોને ભંગ કરે છે. એમ દેખાય છે ખરું. પહેલાં આપણુ દરખાસ્ત શક્ય હતી કે નહિ તે, અને પછી એ (શક્ય હોય તે) સૌથી વધારે લાભદાયક છે કે નહિ એ વિશે આપણે વિચાર કરવાને હતો ખરું ને ? હા. અને એની શક્યતાને તે સ્વીકાર થઈ ચૂક્યો છે? હા. એનાથી જે મહાન લાભ થવાનું છે એ હવે સાબીત કરવાને રહ્યો. બરાબર એમ જ. તમે એટલે સ્વીકાર કરશે કે જે કેળવણી લીધાથી કોઈ પુરુષ સારે પાલક થઈ શકે, એ જ કેળવણીથી એક સ્ત્રી પણ સારી પાલન કરનાર પાલિકા થઈ શકે; કારણ (૪) શું એમને મૂલ સ્વભાવ એકસરખે નથી ? હા. તમને એક સવાલ પૂછવાનું મને મન થાય છે. શે સવાલ ? તમે શું કહેશો–કે બધાં માણસો ગુણમાં સરખાં હોય છે, કે પછી એક માણસ બીજા કરતાં વધારે સારો હોય છે? તમે પાછળથી કહ્યું તે. અને જે સમૂહતંત્ર આપણે સ્થાપીએ છીએ તેમાં આપણું આદર્શ યોજનાનુસાર ઉછેરેલા પાલકે કે પછી જેને માત્ર જોડા સીવવાનું જ શિક્ષણ આપવામાં આવ્યું છે તેવા મોચીઓ માનવતાની પૂર્ણતાએ વધારે પહોંચ્યા હશે ? * જુઓ ઉપર ૪૫૦-.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy