SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૪ બનતે કદી જોય નહિ હોય.* અવશ્ય નહિ. () ધારો કે કોઈ માણસ એમ માને છે કે તેણે બીજાનું અનિષ્ટ કર્યું છે તે જેનું અનિષ્ટ કર્યું છે તે માણસ તેના પર કંઈ દુઃખ, જેવું કે ભૂખ કે ટાઢ અથવા બીજું કોઈ કષ્ટ નાંખે, તો જેટલે અંશે એ વધારે ઉદાર હશે તેટલે અંશે એને ક્રોધની લાગણી ઓછી થશે–આ ન્યાય છે એમ તે માને છે અને મારા કહેવા પ્રમાણે તેવા દુઃખથી એને કોધ ઉત્તેજિત થતો નથી. તેણે કહ્યું ખરું. પરંતુ જ્યારે એ એમ માને કે એ પોતે અનિષ્ટને ભોગ થઈ પડ્યો છે, ત્યારે એ ઉકળી ઉઠે છે અને ક્રોધથી શુભિત થાય છે અને પોતે જેને ન્યાય માને છે તે પક્ષમાં પોતે છે; અને ભૂખ, ટાઢ કે બીજુ કષ્ટ (૩) એ સહન કરે છે તેથી પ્રયત્ન કરીને ઉલટે વિજય મેળવવાને એ દઢ નિશ્ચય કરે છે, જ્યાં સુધી એ મરશે નહિ કે મારશે નહિ, અથવા જ્યાં સુધી પોતાના કુતરાને * વધારે ને ભસવાનું ફરમાન કરતે ગેપાલ એટલે કે બુદ્ધિને અવાજ સાંભળશે નહિ, ત્યાં સુધી એને ઉદાત્ત પ્રાણ શાંત થશે નહિ. તેણે જવાબ આપેઃ ઉદાહરણ બરાબર બંધબેસતું છે, અને આપણે કહેતા હતા તેમ આપણું રાજ્યમાં સહાયક કુતરા (જેવા) છે, અને જે શાસનકર્તાઓ બધા ગોપાલકે છે તેમને અવાજ એમણે સાંભળવાનો છે. મેં કહ્યું મને લાગે છે કે તમે મને બરાબર સમજે છે, પરંતુ એક વધારાના મુદ્દા વિશે તમે વિચાર કરે એમ હું ઇચ્છું છું. () ક મુદ્દો ? તમને યાદ છે કે પ્રથમ દષ્ટિએ મનોભાવ કે પ્રાણુ અમુક પ્રકારની * પ્લેટના “ડિસ” નામના સંવાદમાં પ્રાણને ત અશ્વની સાથે સરખાવવામાં આવ્યો છે,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy