SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ ૨૨૩ છ) બે તત્ત્વો રહેલાં છે, અને મનભાવો તથા પ્રાણ વિશે શું ? શું એ કોઈ ત્રીજું તત્ત્વ છે કે પહેલાંનાં (તમાંના) કોઈ એક જેવું છે? કામના જેવું—એમ કહેવાનું મને મન થાય છે. મેં કહ્યું. વારુ, એક વાત છે અને મેં સાંભળી હોય એમ મને યાદ છે, અને મને એમાં શ્રદ્ધા છે. વાત એવી છે કે એલેઈનને પુત્ર લિટિકસ પિરેઈયસથી એક દિવસ પાછો ફરતો હતો, ત્યાં ઉત્તર તરફની દીવાલની બહારની બાજુએ વધસ્તંભની જગ્યા પાસે એણે કેટલાંક મુડદાં જોયાં. (એક તરફથી) અને તે જોવાની ઈચ્છા થઈ અને બીજી તરફથી) એનામાં (૪૪૦) જુગુપ્સા અને બીક ઉપન્ન થયાંડી વાર તેણે પોતાની આંખે ઢાંકી દીધી અને એના મનમાં) ખેંચતાણ થઈ, પરંતુ અંતે પિતાની ઇચ્છા આગળ તેને નમતું આપવું પડયું; અને આંખો ફાટેલી રાખીને તે મુડદાંઓ તરફ દોડ્યો અને બે,– જુઓ, દુરાત્માઓ, તમને ગમતું દશ્ય ધરાઈને જુઓ. તેણે કહ્યું. મેં પોતે એ વાત સાંભળી છે. વાતનો સાર એ છે કે જાણે કે એ બે ત (પ્રાણનું અને કામનું) જુદાં હોય એમ કોઈ વાર કામની સામે કેધ લડે છે. તેણે કહ્યું હતું, અર્થ એ છે. અને શું એવા બીજા ઘણું દાખલાઓ નથી કે (૨) જ્યાં આપણે જોઈએ છીએ, કે જ્યારે માણસની કામનાઓ એની બુદ્ધિને બળજબરીથી પરાભવ કરે છે, ત્યારે એ પોતાની જાતને નિંદે છે. અને પિતામાં રહેલા (કામનાઓના) બલાત્કાર પ્રત્યે ગુસ્સે થાય છે, અને રાજ્યના બે પક્ષો વચ્ચેના આંતરવિગ્રહના જેવી આ લડતમાં એને પ્રાણ એની બુદ્ધિના પક્ષમાં રહી લડે છે; પરંતુ બુદ્ધિ જ્યારે એવો નિશ્ચય કરે કે પિતાને વિરોધ થવો ન જોઈએ ત્યારે મનભાવ કે પ્રાણનું તત્ત્વ કામનાઓને પક્ષ લે–એ પ્રકારનો બનાવ હું માનું છું કે તમે તમારામાં અથવા મારે કપી લેવું જોઈએ કે કઈ બીજાએ પોતાનામાં
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy