SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ અવશ્ય નહિ. રાજ્યના અમુક લોકે, તેમને આપણું શાસનકર્તાએ જે કેળવણી આપી છે તે અનુસાર, જેનાથી બીવાનું છે (૪) અને જેનાથી બીવાનું નથી તે વસ્તુઓના સ્વભાવ વિશેને અભિપ્રાય ગમે તે સંગમાં ન બદલે, તે જ તે રાજ્ય શરવીર ગણશે; અને આને જ તમે શૌર્ય કહે છે. તમે જે કહે છે તે ફરી એક વાર મને સાંભળવાનું મન છે, કારણ હું પૂરેપૂરું સમ હોઉં એમ મને લાગતું નથી. હું એમ કહેવા માગું છું કે શૌર્ય એક પ્રકારની મુક્તિ છે. મુક્તિ શાની ? જે વસ્તુઓથી બીવાનું છે તે વિષેના અભિપ્રાયની–એ શી છે અને એને સ્વભાવ કે છે, જે બધું કેળવણી દ્વારા શાસ્ત્ર (લેકેના મનમાં) રેપે છે; (૬) અને “ગમે તે સંજોગોમાં” એ શબ્દો વાપરીને મારે એમ જણાવવું છે કે સુખમાં કે દુઃખમાં અથવા ઈચ્છા કે બીકની અસરને લીધે પણ માણસ આ અભિપ્રાય ગુમાવી બેસતા નથી, પણ તેને વળગી રહે છે. હું તમને એક ઉદાહરણ આપું ? આપે તો સારું. મેં કહ્યું તમને ખબર છે કે રંગરેજોને જ્યારે ઊનને સમુદ્રના જેવી નીલવર્ણા રંગની હોય છે, ત્યારે તેઓ સૌથી પહેલાં શરૂઆતમાં સફેદ રંગ પસંદ કરે છે; (એટલે કે ઉનને પહેલાં જોઈને સાફ કરે છે). તેઓ આ તૈયાર કરે છે, અને કેટલીય સંભાળ તથા તકલીફ લઈ * “Epis re m e” જ્ઞાન; “Do xa: અભિપ્રાય-પ્રાણમય ભૂમિકા પર થતા જ્ઞાનને લેટે અભિપ્રાય કહે છે, અને બુદ્ધિની ભૂમિકા પર જ ખરું જ્ઞાન હોઇ શકે-આ રીતે જુદી જુદી ભૂમિકા પર થતા જ્ઞાનના વ્યાપાર માટે પ્લેટ ભિન્ન શબ્દો વાપરે છે. જુઓ નીચે પરિ: ૫૦૪૭૬-૪૭૮ પરિ: ૬: ૫૦૮૩, ૫૧૦ ૧; ૭: ૫૩૪; + શાસ્ત્ર અથવા કાયદો અથવા નિયમ
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy