SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ २०० જ્ઞાન રહેલું છે તે અંગે સ્વભાવથી સ્વાભાવિક રીતે જ) બધા વર્ગો કરતાં સૌથી નાનું રહેવા સર્જાયું છે. તદ્દન ખરું. મેં કહ્યું : ત્યારે આ રીતે ચાર સગુણેમાંના એકનું સ્વરૂપ તથા તેનું રાજ્યમાં જે સ્થાન છે તે જેમ તેમ કરતાં આપણને જડી આવ્યું છે. તેણે જવાબ આપે : અને મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે બહુ જ સંતોષકારક રીતે શોધાયું છે. ' કહ્યુંવળી શૌર્યનું સ્વરૂપ અને રાજ્યના કયા અંગમાં એ ગુણ વસે છે કે જેને લીધે રાજ્યને આપણે શુરવીરનું નામ આપી શકીએ-–એ નિશ્ચિત કરવામાં કશી મુશ્કેલી નહિ પડે. એમ કેમ? (ર) મેં કહ્યું કેમ, હરકોઈ રાજ્યને જ્યારે કોઈ માણસ શુરવીર કે બીકણ ગણતો હોય, ત્યારે એ રાજ્ય તરફથી જે લેકે લડવા કે વિગ્રહ કરવા જાય તેને એ વિચાર કરતો હોય છે. તેણે જવાબ આપે બાકીના લેકે વિષે કોઈ કદી વિચાર કરે જ નહિ. બાકીના પુરવાસીઓ શૂરવીર હોય કે બીકણ હોય, પણ હું સમજું છું તે પ્રમાણે, એમનાં શૌર્ય કે બાયલાપણુને લીધે નગરરાજ્ય શુરવીર કે બાયેલું ગણાશે નહિ. * By Nature (“Ph u si s)-કુદરતી રીતે જ, અથવા સ્વભાવથી જ. અહીં ભાવ એટલે કે વિશિષ્ટ સ્વભાવ કે લક્ષણ બાંધવામાં ઉપયોગી થઈ 43 gal 74 (Not the genus but differentia of human nature) કુદરત અથવા સ્વભાવ શબ્દ કઈ કઈ વાર જાતિના અર્થમાં પણ વપરાય છે. અને તેથી શુદ્ધ વિચારની દષ્ટિએ ઘણો ગોટાળો થવા સંભવ છે. નું સૂત્ર—“Back to eature” અથવા બાળકનો વિકાસ કુદરતી રીતે સધા જઈએ-માણસે કુદરતને અનુરૂપ જીવન ગાળવું જોઈએ—પણ તે કઈ કુદરત ? પશુની કુદરત કે માનવ જીવનને અનુરૂપ કુદરત? જુઓ ૪૪૩-૩ મુદ્દો. ૮-૨ શૌર્ય.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy