SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ ૧૧૯ ત્યારે અસત્ય બોલવાને જે કોઈને પણ અધિકાર હોય, તે રાજ્યના શાસનકર્તાઓને જ એ હક હોઈ શકે, અને પ્રજાના હિતને અર્થે પુરવાસીઓની સાથેના કે દુશ્મને જોડેના એમના વ્યવહારમાં એમને અસત્યને ઉપગ કરવાની છૂટ રહેશે. પરંતુ એવી (૪) કોઈ બાબતમાં બીજાને માથું મારવાની જરૂર નથી; અને જે કે આ હક શાસનકર્તાઓને મળે છે, તો પણ કોઈ દરદી કે વ્યાયામશાળાને વિદ્યાર્થી, વૈદ્યને કે એના શિક્ષકને પોતાના શારીરિક વ્યાધિની સિત્ય હકીકત રજુ ન કરે, અથવા કોઈ પણ ખલાસી બાકીના ખારવાઓમાં અને વહાણમાં શું બને છે, અને પોતાનું અને પોતાના સહચારી ખલાસીઓનું કેમ ચાલે છે એ પોતાના કપ્તાનને ન કહે–એ જેટલા દેવ કહેવાય એનાથી પણ વધારે ગંભીર દેષ, જે કાઈ (સામાન્ય) અનધિકારી માણસ શાસનકર્તા આગળ જુઠ્ઠું બોલે તો ગણાશે. તેણે કહ્યું: તદ્દન ખરું. (૪) પછી જે રાજ્યમાં પિતા સિવાય બીજો કોઈ અસત્ય બોલતો પકડાય– કોઈ પણ કારીગર, પછી ભલે તે ધર્મગુરુ કે વૈદ્ય કે સુથાર હોય.” –તો રાજ્યને કે વહાણને એકસરખી રીતે ઊંધું વાળે અને તેને નાશ કરે એવી પદ્ધતિ દાખલ કરવા માટે તે તેને શિક્ષા કરશે. તેણે કહ્યું કે રાજ્યને આપણે આદર્શ જે કોઈ દિવસ અમલમાં આવે, તો તો અવશ્ય. હવે બીજી વાત–આપણું યુવાને સંયમી થવું જોઈશે ૪ જરૂર. સામાન્ય રીતે કહીએ તે, શાસનકર્તાઓનું આજ્ઞાપાલન અને ૧, ૦d : 27-383; ૨. અથવા “એમ બોલવા ઉપરાંત જે તે એવું આચરણ કરે તે ”—તે અવશ્ય. * સરખાવો ૩૮૨; ૪૧૪ ; ૪૫૯ ૩-૪. પરિ• ૩, મુદ્દો ૪. માનસિક કેળવણી ચાલુ—સયમ,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy