SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગ અને જ વિશે : લેખકાર ગ અને જ એ બંને(જેને પોતે સંઘર્થીઓ કહે છે)ના ઉચ્ચાર ગ અને જ કરતાં જુદા છે તેમ જણાવે છે. લેખકાર અહીં શું કહેવું છે તે સ્પષ્ટ કરી શક્યા નથી. અમે તો પ્રારંભમાં જણાવ્યું છે તેમ આ જે કંઈ સામગ્રી અમને પ્રાપ્ય બની છે તેના આધારે કરેલું વર્ગીકરણ છે. અને તેમાં ઉપર્યુક્ત ધ્વનિઓ અમને પ્રાપ્ત થયા નથી તેથી અમે તેની ચર્ચા કરી નથી. પરંતુ આવા ધ્વનિઓ પ્રાપ્ત થાય તો પણ લેખકાર ‘ઉચ્ચાર સ્પષ્ટ રીતે જુદો તરી આવે છે તેમ દલીલ કરે છે તે પૂરતી નથી. કોઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ જુદું હોવાથી તે ઘટક બનતો નથી. ઘટક બનવા માટે તેણે બે ઉક્તિઓના ભેદક બનવું પડે છે. આથી આ બે ભિન્ન ધ્વનિઓ કચ્છીમાં ભેદક નીવડે તો બંને માટે લિપિ સંકેતો યોજી શકાય. આ પ્રકારની વૃદ્ધિને તો કર્તાએ આવકારી જ છે. પરંતુ લેખકારને ધ્વનિ અને ધ્વનિઘટક વચ્ચેનો ભેદ સ્પષ્ટ નહીં હોવાથી આ અંગેની ચર્ચા તેમણે કરી છે. આવું જ બન્યું છે ‘’ અને ‘બીની બાબતમાં. આ ચર્ચાથી તો સ્પષ્ટપણે કહી શકાય તેમ છે કે લેખકારને ધ્વનિઘટકની વિભાવના જે ભાષાવિજ્ઞાનની એક પાયાની વિભાવના છે તેનો બિલકુલ ખ્યાલ જ નથી. જો આ ખ્યાલ હોત તો તેમણે ધ્વનિના આલેખનની ઇચ્છા પ્રગટ કરીને ‘ડું અને અને સ્થાન નહીં અપાયાની ફરિયાદ કરી ન હોત. અહીં કોઈ ધ્વનિને સ્થાન અપાવવાનો કે પદભ્રષ્ટ કરવાનો સવાલ નથી. ભાષાવિદ ધ્વનિના રાજકારણમાં સંડોવાતો નથી! જે આપેલા ધ્વનિઓ જે તે ભાષામાં ઘટક હોય તો તે તે ઘટક માટે ભિન્ન લિપિ સંકેત યોજવો જોઈએ. પરંતુ એ ધ્વનિઓ જો કોઈ એક ધ્વનિના પેટાઘટકો હોય તો પેટાઘટકો માટે ભિન્ન લિપિસંકેત યોજવો શાસ્ત્રમાન્ય નથી. અમારી સામગ્રીમાં આ બંને ધ્વનિઓને અમે પેટાઘટકો ગણીને એમ કહ્યું છે કે આને ઘટક સ્થાપવા માટે વિશેષ સામગ્રી જરૂરી ગણાય. આમ થતાં તે જો સ્વતંત્ર ઘટકો સિદ્ધ થાય તો જરૂર તેના સંકેતો વધારી શકાય. પરંતુ લેખકાર તો “સંસ્કૃત-ગુજરાતી “, “બીને પણ સ્થાન અપાયું હોત તો કચ્છીને અને ખુદ કર્તાને પણ સારી સગવડ રહેત” (પૃ. ૩૨૬) કહીને આને સ્થાન આપવા હિમાયત કરે છે. આમાં શાસ્ત્રની સમજણનો અભાવ સ્પષ્ટ વરતાય છે. અને આ અભાવે લેખકારને નીચેના શબ્દોમાં એક જ ધ્વનિ માટે અનુક્રમે ૧, ન્ગ, ઘ અને દ (૬) જોવા પ્રેર્યા છે! ૧. મગૂ ૨. મૂન્ગ ૩. મૂન્ગણ ૪. ખબ્ધ ૫. ખષ્ણુ આમાંનો પાંચમો શબ્દ તો અરધો “ઘ” છે જેને “ સાથે સંબંધ નથી. જ્યારે પહેલા ચારમાં લેખકાર જણાવે છે તેવા ‘૦, ન્ગ. જો ધ્વનિઓ નથી પરંતુ ફી પેટાધ્વનિ જેનો બને છે તે ન છે! લેખકારે દર્શાવેલ ધ્વનિઓ નથી !! આવું જ લેખકારે દર્શાવેલા (અને માની લીધેલા) “બ” માટેના , ન, અને જે વિશે કહી શકાય. સહાયકારક ક્રિયાપદમાં ‘ વિને આલેખવાની મુશ્કેલીનું દૃષ્ટાંત પણ લેખકારની ઉપર મુજબની દૃષ્ટિનું જ ઘોતક છે. ત્યાંયે “બ” માટે કશા જ ભિન્ન ધ્વનિઓ નથી માત્ર ધોન્ન” ને ધોન” ગણવો પડે તે લેખકારની વાત સાચી છે. લેખકારને “લિપિ ખૂબ આડી આવી છે. આ “લિપિ
SR No.032055
Book TitleBhasha Vivechan
Original Sutra AuthorN/A
AuthorShantibhai Acharya
PublisherGujarat Vidyapith
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy