SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકારની પ્રશસ્તિ. ૩૨૫ अत्र गुणसत्र विज्ञावतंसजिनहंसगणिवरप्रमुखैः । शोधनलिखनादिविधौ व्यधायि सान्निध्यमुद्युक्तैः ॥१३॥ અહીંયાં ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સમાન ઉદ્યમવંતા શ્રી જિનહંસગણિ પ્રમુખોએ લખવા, શોધન કરવા વિગેરે કાર્યોમાં સાન્નિધ્ય સહાય કરી છે. विधिवैविध्याच्छ्रुतगतनैयत्यादर्शनाच्च यत्किञ्चित् । अत्रोत्सूत्रमसूत्र्यत तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ॥ १४॥ વિધિનું વિવિધપણું દેખવાથી અને સિદ્ધાંતોમાં રહેલા નિયમો ન દેખવાથી આ શાસ્ત્રમાં જો કંઈ ઉત્સૂત્ર લખાયું હોય તો તે મારાં પાપ મિથ્યા થાઓ. विधिकौमुदीनाम्यां वृत्तावस्यां विलोकितैर्वर्णैः । श्लोकाः सहस्त्रषट्कं सप्तशती चैकषष्ट्यधिकाः ॥ १५ ॥ એ પ્રકારે આ વિધિકૌમુદી નામની વૃત્તિમાં રહેલા પ્રત્યેક અક્ષરના ગણવાથી છ હજાર સાતસો અને એકસઠ શ્લોક છે. श्राद्धहितार्थं विहिता श्राद्धविधिप्रकरणस्य सूत्रयुता । वृत्तिरियं चिरसमयं जयताज्जयदायिनी कृतिनाम् ॥१६॥ શ્રાવકોના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની “શ્રાદ્ધવિધિ કૌમુદી” નામની આ ટીકા રચી છે તે ઘણા કાળ સુધી પંડિતોને જયને આપનારી થઈ જયવંતી વર્તો. શ્રી રત્નશેખરસૂરિવિરચિત ‘શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ’ સટીકનો ગુજરાતી અનુવાદ સમાપ્ત.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy