SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણના ભેદ અને તેને કરવાનો સમય. ૨૪૧ પ્રતિક્રમણના ભેદ અને તેને કરવાનો સમય. પ્રતિક્રમણના ૧ દેવસી, ૨ રાઈય, ૩ પકિખ, ૪ ચોમાસી અને ૫ સંવત્સરી એવા પાંચ પ્રકાર છે. એમનો સમય ઉત્સર્ગ માર્ગે કહ્યો છે તે આ પ્રમાણે, ગીતાર્થ પુરુષો સૂર્યબિંબનો અર્ધભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસી પ્રતિક્રમણનો સમય સૂર્યનો અર્થો અસ્ત એ જ જાણવો. રાઈ પ્રતિક્રમણનો કાળ એવી રીતે કહ્યો છે કે, આચાર્યો આવશ્યક (પ્રતિક્રમણ) કરવાનો વખત થાય છે ત્યારે ઊંઘ તજી દે છે અને આવશ્યક એ રીતે કરે છે કે જેથી દશ પડિલેહણા કરતાં સૂર્યોદય થાય. અપવાદમાર્ગથી તો દેવસી પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહોરથી અર્ધી રાત્રિ સુધી કરાય છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં તો દેવની પ્રતિક્રમણ બપોરથી માંડી અર્ધી રાત્રિ સુધી કરાય એમ કહ્યું છે. તેમજ રાઈ પ્રતિક્રમણ મધ્યરાત્રિથી માંડી બપોર સુધી કરાય. વળી કહ્યું છે કે “રાઈ પ્રતિક્રમણ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્વાડ પોરિસી સુધી કરાય છે અને વ્યવહારસૂત્રના અભિપ્રાય પ્રમાણે બપોર સુધી કરાય” પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયાના છેડે, ચાતુર્માસિક ચોમાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે. પ્રશ્ન:- પફિખ પ્રતિક્રમણ ચૌદશે કરાય? કે અમાસ પૂનમે કરાય ? ઉત્તર :- ચૌદશે જ કરાય એમ અમારું કહેવું છે. જો અમાસે તથા પૂનમે પખિ પ્રતિક્રમણ કરાય તો ચૌદશે તથા પમ્બિને દિવસે પણ ઉપવાસ કરવાનો કહ્યો છે, તેથી પખિ આલોયણા પણ છઠ્ઠવડે થાય અને તેમ કરવાથી આગમવચનનો વિરોધ આવે છે. આગમમાં કહ્યું છે કે, “*પ્રદ્યુમ છટ વડલ્ય, સંવચ્છર-વાડમાસ-પવનવે બીજું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં ચતુર્દશી શબ્દ જુદો લીધો નથી. અને જ્યાં ચતુર્દશી શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં પાક્ષિક શબ્દ જુદો લીધો નથી. તે આ રીતે મિ ત્રીસ ૩૫વાસરએ વચન પાક્ષિકચૂર્ણિમાં છે. સોમનિ ઘઉસી ૩૫વાસં વરે” એ વચન આવશ્યકચૂર્ણિમાં છે. વાસ્થછકૃવિરો સમાવઠ્ઠીવ મારિત્તિ એ વચન વ્યવહારભાષ્ય પીઠીકામાં છે. ગમવડી ITIપંચમીવડમાસ, વગેરે વચન મહાવીશીથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં પવરવ કરી તુ, માણસ જ મિgi rā એ વચનની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે અને વૃત્તિકારે પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી એમ જ કર્યો છે. જો પદ્ધિ અને ચતુર્દશી જુદા હોય તો આગમમાં બે શબ્દ જુદા આવત પણ તેમ નથી. તેથી અમે એવા નિશ્ચય ઉપર આવીએ છીએ કે પદ્ધિ ચતુર્દશીને દિવસે થાય. - - અગાઉ ચોમાસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણાથી ચોમાસી ચૌદશે અને સંવત્સરી ચોથે કરાય છે એ વાત સર્વસંમત ૧. સંવત્સરીએ અટ્ટમ, ચોમાસીએ છઠ્ઠ અને પમ્બિએ ઉપવાસ કરવો. ૨. આઠમ ચઉદશે ઉપવાસ કરવો. ૩. તે આઠમ ચઉદશે ઉપવાસ કરે. ૪. આઠમે તથા પમ્બિએ ઉપવાસ, ચોમાસીએ છટ્ટ અને સંવત્સરીએ અટ્ટમ કરવો.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy