SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ દ્રવ્યોપાર્જનનો યત્ન નિરંતર કરવો. દ્રવ્ય ઉપાર્જન કરવાનો પણ યથાયોગ્ય ઉદ્યમ પ્રતિદિન કરવો, કેમકે વણિક, વેશ્યા, કવિ, ભટ્ટ, ચોર, ઠગારા, બ્રાહ્મણ એટલા લોકો જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામો માને છે. થોડી લક્ષ્મી મળવાથી ઉદ્યમ છોડી ન દેવો. માઘકવિએ કહ્યું છે કે જે પુરુષ થોડા પૈસા મળવાથી પોતાને સારી સ્થિતિમાં આવેલો માને, તેનું દેવ પણ પોતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સંપત્તિ વધારતું નથી, એમ મને લાગે છે. અતિ લોભ પણ ન કરવો. અતિ લોભ પણ ન કરવો. લોકમાં પણ કહ્યું છે કે અતિ લોભ ન કરવો તથા લોભનો સમૂળ ત્યાગ પણ ન કરવો. અતિ લોભને વશ થયેલો સાગરશ્રેષ્ઠી સમુદ્રમાં ડુબ્યો અને મરણ પામ્યો. હદ વિનાની ઇચ્છા જેટલું ધન કોઈને પણ મળવાનો સંભવ નથી, રંક પુરુષ ચક્રવર્તિપણું વગેરે ઉચ્ચ પદવીની ઇચ્છા કરે તો પણ તે તેને કોઈ વખતે મળવાનું નથી. ભોજન, વસ્ત્ર આદિ તે ઇચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે ઇચ્છા માફક ફળ મેળવનાર પુરુષે પોતાની યોગ્યતા માફક ઇચ્છા કરવી. લોકમાં પણ પરિમિત (પ્રમાણવાળી) વસ્તુ માગે તો મળે છે અને અપરિમિત પ્રમાણ વિનાની) માગે તો મળતી નથી. માટે પોતાના ભાગ્ય આદિના અનુસારથી જ ઈચ્છા રાખવી. જે માણસ પોતાની યોગ્યતા કરતાં અધિક જ ઇચ્છા કર્યા કરે, તેને ઇચ્છિત વસ્તુનો લાભ ન થવાથી હમેશાં દુ:ખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકનો અધિપતિ છતાં કોટિપતિ થવા માટે અહોનિશ ઘણી ચિંતા કરનાર ધનશ્રેષ્ઠીનાં તથા એવાં જ બીજાં દષ્ટાંત અહિં જાણવાં. વળી કહ્યું છે કે માણસોના મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાનો દાસ થયો તે ત્રણે જગતનો દાસ થયો. અને જેણે આશાને દાસી કરી તેણે ત્રણે જગતને પોતાના દાસ કર્યા. ધર્મ, અર્થ અને કામનું સેવન. ગૃહસ્થ પુરુષે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું એક બીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું. કેમકે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ લોકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરુષો અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે. તેમાં જંગલી હાથીની જેમ ધર્મનો અને અર્થનો ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખમાં આસક્ત થયેલો ક્યો માણસ આપદામાં નથી પડતો? જે માણસ વિષયસુખને વિષે ઘણી આસક્તિ રાખે છે તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મેળવેલું ધન પારકા લોકો ભોગવે છે અને મેળવનાર પોતે હાથીને મારનાર સિંહની જેમ માત્ર પાપનો ભાગી થાય છે. અર્થ અને કામ છોડીને એકલા ધર્મની જ સેવા કરવી એ તો સાધુ મુનિરાજને શક્ય છે, ગૃહસ્થને નહીં. ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપજાવીને અર્થનું તથા કામનું સેવન ન કરવું; કારણ કે બીજભોજી (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર) કણબીની જેમ અધાર્મિક પુરુષનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. સોમનીતિમાં પણ કહ્યું છે કે -
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy