SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ધન, શરીર અને યૌવન અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઇન્દ્રિયનિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે અને સર્વસંગનો પરિત્યાગ કરવો એ મોક્ષનું કારણ છે. વચનફ્લેશ તો સર્વથા વર્લ્ડવો. ૧૭૦ શ્રી દારિદ્રસંવાદમાં કહ્યું છે કે, (લક્ષ્મી કહે છે.) હે ઇન્દ્ર ! જ્યાં મોટા પુરુષોની પૂજા થાય છે; ન્યાયથી ધન ઉપાર્જે છે અને લેશમાત્ર પણ વચન કલહ નથી ત્યાં હું રહું છું. (દરિદ્ર કહે છે.) હંમેશા દ્યૂત (જુગાર) રમનાર, સ્વજનની સાથે દ્વેષ કરનાર, ધાતુવાદ (કિમિયા) કરનાર એવા પુરુષની પાસે હું હંમેશાં રહું છું. ઉઘરાણી કેમ કરવી ? વિવેકી પુરુષે પોતાના લહેણાની ઉઘરાણી પણ કોમળતા રાખી નિંદા ન થાય તેવી રીતે કરવી એ જ યોગ્ય છે. એમ ન કરે તો દેવાદારની દાક્ષિણ્યતા, લજ્જા વગેરેનો લોપ થાય અને તેથી પોતાના ધન, ધર્મ અને પ્રતિષ્ઠા એ ત્રણેની હાનિ થવાનો સંભવ છે. માટે જ પોતે કદાચિત્ લાંઘણ કરે તો પણ બીજાને લાંઘણ ન કરાવે. પોતે ભોજન કરીને બીજાને લાંઘણ કરાવવી એ સર્વથા અયોગ્ય જ છે. ભોજન આદિનો અંતરાય કરવો એ ઢંઢણકુમારાદિની જેમ ઘણું દુઃસહ છે. ઢંઢણકુમાર. ઢંઢણકુમાર કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. પૂર્વભવે આહારમાં અંતરાય કરવાથી તે જ્યાં ભિક્ષા લેવા જતા ત્યાં નિર્દોષ ભોજન મળતું ન હતું. એક વખત ઉત્કૃષ્ટા અણગાર તરીકે નેમિનાથ ભગવાને તેમની પ્રશંસા કરી. ભગવાનને વાંદી કૃષ્ણ પાછા ફરતા હતા તે વખતે ઢંઢણમુનિને તેમણે જોયા. હસ્તિ ઉપરથી ઉતરી કૃષ્ણે વંદન કર્યું. કોઈ ભાવિક શ્રાવકે ઢંઢણને પ્રતિલાભ્યા. ગોચરી લાવી ભગવાનને બતાવી અને પૂછ્યું કે મારૂં પૂર્વનું અંતરાય કર્મ વિચ્છેદ પામ્યું કે શું ? ભગવાને કહ્યું, ‘આ તમારા કર્મના વિચ્છેદનું ફળ નથી પણ કૃષ્ણે વાંઘા તેથી આ ભિક્ષા મળી છે.’ ઢંઢણ મુનિ તે આહાર પરઠવવા ચાલ્યા. પરઠવતાં જ અંતરાય કર્મ તુટયું અને ભાવના વૃદ્ધિ પામી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સંપથી શાંતિ. સર્વ પુરુષોએ તથા ઘણું કરી વણિકજનોએ સર્વથા સંપ સહેલાઈથી જ પોતાનું સર્વકામ સાધવું. કેમકે સામ, દામ, દંડ અને ભેદ એ કાર્યસાધન કરવાના ચાર ઉપાય બહુ પ્રસિદ્ધ છે, તો પણ સામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે બાકીના ઉપાય તો કેવળ નામના જ છે. કોઈ તીક્ષ્ણ તથા ઘણા ક્રુર હોય તો પણ તે સામથી વશ થાય છે. જુઓ જિલ્લામાં ઘણી મીઠાશ હોવાથી કઠોર દાંત પણ દાસની જેમ તેની(જીભની) સેવા કરે છે. લેહેણદેણના સંબંધમાં જો ભ્રાંતિથી અથવા વિસ્મરણ વિગેરે થવાથી કાંઈ વાંધો પડે તો અંદરો-અંદર વિવાદ (ઝગડો) ન કરવો પરંતુ ચતુર લોકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર-પાંચ પુરુષો નિષ્પક્ષપાતથી જે કાંઈ કહે તે માન્ય કરવું. તેમ ન કરે તો ઝગડો ન પતે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy