SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અહંકાર ન કરવો. ૧૬૯ થયો. પછી તે શેઠના પુત્રોની પાસે રહેવાની ઈચ્છા કરતો હતો ત્યારે તે પણ નિર્ધન જાણી તેની સાથે શેઠના પુત્રો એક અક્ષર પણ બોલતા નહોતા. ત્યારે તેણે બે ત્રણ સારા માણસોને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચોપડામાં પોતાના હસ્તાક્ષરથી લખ્યું કે “શેઠના બે હજાર ટંક મારે દેવા છે.” આ કામ તેણે ઘણી જ છુપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રોના જોવામાં તેના હસ્તાક્ષર આવ્યા ત્યારે તેમણે મુનિમ પાસે બે હજાર ટંકની માગણી કરી. ત્યારે મુનિમે કહ્યું “વ્યાપારને અર્થે થોડું ધન મને આપો તો હું થોડા દિવસમાં તમારું દેવું આપું.” પછી શેઠના પુત્રોએ તેને વ્યાપારને અર્થે ધન આપ્યું. અનુક્રમે મુનિએ ઘણું ધન સંપાદન કર્યું. ત્યારે શેઠના પુત્રોના આશ્રયથી તે મુનિમ ધનવાન થયો. અહંકાર ન કરવો. નિર્દયપણું, અહંકાર, ઘણો લોભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી, એ પાંચ વસ્તુ લક્ષ્મીની સાથે નિરંતર રહે છે એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરુષોને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લોકોને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે. માટે વિવેકી પુરુષે ધન આદિ ઘણું મળે તો પણ અહંકાર વગેરે ન કરવો. કેમકે જે પુરુષોનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સંપદા (લક્ષ્મી) આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ જોઈને દુઃખી થાય, અને પોતે સંકટમાં આવે તો સુખી થાય, તેમને નમસ્કાર થાઓ. સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે ધનવાન છતાં ગર્વ ન કરે, અને વિદ્વાન છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરુષો પૃથ્વીના ઉત્તમ અલંકાર છે. વિવેકી પુરુષે કોઈની સાથે સ્વલ્પમાત્ર પણ કલેશ ન કરવો. તેમાં પણ મોટા પુરુષોની સાથે તો ક્યારે પણ ન જ કરવો. કહ્યું છે કે જેને ખાંસીનો વિકાર (દદ) હોય તેણે ચોરી ન કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય તેણે જારકર્મ ન કરવું, જેને રોગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસક્તિ ન કરવી અને પોતાની જીભ સ્વાધીનતામાં રાખવી. જેની પાસે ધન હોય તેણે કોઈની સાથે કલેશ ન કરવો. ભંડારી, રાજા, ગુરુ, અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ, કુર અને નીચ એવા પુરુષની સાથે વિવેકી પુરુષે વાદ ન કરવો. કદાચિત્ કોઈ મોટા પુરુષની સાથે ધન આદિનો વ્યવહાર થયો હોય તો વિનયથી જ પોતાનું કાર્ય સાધવું. બળાત્કાર, કલેશ આદિ ન કરવો. પંચોપાખ્યાનમાં પણ કહ્યું છે કે ઉત્તમ પુરુષને વિનયથી, શૂર પુરુષને ભેદ નીતિથી, નીચ પુરુષને અલ્પદ્રવ્યાદિના દાનથી અને આપણી બરાબર હોય તેને પોતાનું પરાક્રમ દેખાડી વશ કરવો. ધનના અર્થી અને ધનવાન એ બન્ને પુરુષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ. કારણ કે ક્ષમા કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે “બ્રાહ્મણનું બળ હોમમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનું બળ રાજા અને વણિકપુત્રનું બળ ક્ષમા છે.” મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે. ૨૨
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy