SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ બીજી રીતે દેરાસરની જઘન્યથી ૧૦ ભેદે, મધ્યમથી ૪૦ ભેદે, અને ઉત્કૃષ્ટથી ૮૪ ભેદ આશાતના વર્જવી તે બતાવે છે. જિનમંદિરની જઘન્ય ૧૦ આશાતના. ૧ દેરાસરમાં તંબોળ (પાન-સોપારી) ખાવું, ૨ પાણી પીવું, ૩ ભોજન કરવું, ૪ જોડાબુટ પહેરીને જવું, ૫ સ્ત્રી-સંભોગ કરવો, ૬ શયન કરવું, ૭ થુંકવું, ૮ પેશાબ કરવો, ૯ વડીનીતિ કરવી, ૧૦ જુગાર વિગેરે રમત કરવી એ દેરાસરની અંદરની દશ જઘન્યઆશાતના વર્જવી. જિનમંદિરની મધ્યમ ૪૦ આશાતના. ૧ દેરાસરમાં પેશાબ કરવો, ૨ વડીનીતિ કરવી, ૩ જોડા-બુટ પહેરવા, ૪ પાણી પીવું, ૫ ભોજન કરવું, ૬ શયન કરવું, ૭ સ્ત્રી-સંભોગ કરવો, ૮ તંબોળ ખાવું, ૯ થુંકવું, ૧૦ જુગાર રમવો, ૧૧ જુ-માંકડ જોવા-વિણવા, ૧૨ વિકથા કરવી, ૧૩ પલાંઠી વાળી બેસવું, ૧૪ જુદા જુદા પગ લાંબા કરીને બેસવું, ૧૫ પરસ્પર વિવાદ કરવો, બડાઇ કરવી, ૧૬ કોઇની હાંસી (મશ્કરી) કરવી, ૧૭ કોઇ પર ઇર્ષા કરવી, ૧૮ સિંહાસન પાટ, બાજોઠ વિગેરે ઊંચા આસન ઉપર બેસવું, ૧૯ કેશ શરીરની વિભૂષા (શોભા) કરવી. ૨૦ છત્ર ધારવું, ૨૧ તલવાર રાખવી, ૨૨ મુગટ રાખવો, ૨૩ ચામર ઢળાવવા, ૨૪ ઘરણું નાખવું (કોઇની પાસે માંગતા હોઇએ તેને દેરાસરમાં પકડવો), ૨૫ સ્ત્રીઓની સાથે (માત્ર વચનથી) કામવિકાર તથા હાસ્યવિનોદ કરવાં, ર૬ કોઈ પણ જાતની ક્રીડા કરવી (પાના ગંજીફો વિગેરે રમવા) ૨૭ મુખકોશ બાંધ્યા વિના પૂજા કરવી, ૨૮ મલિન વસ્ત્રથી કે શરીરથી પૂજા કરવી, ૨૯ ભગવંતની પૂજા વખતે પણ ચિત્તને ચપળ રાખવું, ૩૦ દેરાસરમાં પ્રવેશ વખતે સચિત વસ્તુને દૂર છોડે નહીં, ૩૧ અચિત્ત પદાર્થ શોભા કરી હોય તેને દૂર મૂકવા (નિરંતર ન પહેરવાના દાગીના ઉતારી નાંખવા). ૩૨ એકસાટિક (અખંડ વસ્ત્ર) નું ઉત્તરાયણ કર્યા વિના દેરાસરમાં જવું, ૩૩ પ્રભુની પ્રતિમા જોતાં જ બે હાથ ન જોડવા, ૩૪ છતી શક્તિએ પ્રભુની પૂજા ન કરે, ૩૫ પ્રભુને ચઢાવવા યોગ્ય ન હોય એવા પદાર્થ ચઢાવવા, ૩૬ પૂજા કરવા છતાં અનાદરપણું રાખવું, ભક્તિબહુમાન ન રાખવાં, ૩૭ ભગવંતની નિંદા કરનારને અટકાવે નહીં, ૩૮ દેવદ્રવ્યનો વિનાશ થતો જોવા છતાં ઉપેક્ષા કરે, ૩૯ છતી શક્તિએ દેરાસર જતાં વાહનમાં બેસે, ૪૦ દેરાસરમાં વડીલો પહેલાં ચૈત્યવંદન કે પૂજા કરે. જિનભવનમાં રહેતાં ઉપરના એક પણ કારણને સેવે તો મધ્યમ આશાતના થાય છે. તે વર્જવી. જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના. ૧ ખેલ-નાસિકાનું લીંટ નાંખે, ૨ જાગાર, ગંજીફો, શેત્રુંજ, ચોપાટ વગેરેની રમત કરે, ૩ લડાઈ કરે, ૪ ધનુષ વિગેરેની (કળા) શીખે, ૫ કોગળા કરે, ૬ તંબોળ ખાય, ૭ તંબોળનો કૂચો નાંખે, ૮ કોઈને ગાળ આપે, ૯ લઘુનીતિ-વડી નીતિ કરે, ૧૦ હાથ, પગ, મુખ, શરીર ધુવે,
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy