SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાંથી મૂર્તિ નીકળી હતી ત્યાં સર્વ જનના ઉપકારાર્થે શ્રીપાલ રાજાએ કુંડ બંધાવ્યું. શ્રીપાલ રાજાએ ચ્ચભાવથી બનાવેલું ગગનસ્પર્શી જિનાલય આજે પણ નિશ્ચષ્ટ દેગી જેવું શીરપુર ગામની બહાર બગીચામાં ઉભું છે. પિતાને પુરાતન ઇતિહાસ પોકારે છે. મૂર્તિ જ્યાં અદ્ધર આકાશમાં રહી હતી તે વડ પણ સ્વછાયામાં બેઠેલા મુસાફરને સ્વ-ધન્ય જીવનની કથની કથી રહ્યો છે. ત્યાં એક જૂને ઉડે કૂવો પણ છે. જ્યાંના પાણીથી ભયંકર રોગ નાબૂદ થાય છે એમ જનતાવાણી પ્રસરી રહી છે. આ ઉપરને અણુશુદ્ધ સનાતન ઇતિહાસ ભાવવિજયજી મહારાજ પાસે રાત્રીના શ્રી પદ્માવતીદેવીએ કથન કર્યો હતે. જે ભાવવિજયજી મહારાજના બનાવેલા તેત્રમાં છે. શ્રીપાલ રાજાએ વસાવેલું શ્રીપુર ગામ આજે પણ શીરપુરના નામથી વિખ્યાત છે. એ વાતને વર્ષો વીતી ગયાં, પણ અપભ્રંશ પુરાણ નામને મળતું ગામનું નામ છે. આ શીરપુર વાસીમથી બાર માઈલ દૂર છે. આકેલા સ્ટેશનેથી ચુંમાલીસ માઈલ છે. અહીં રેલવે-ટેઈન ન હોવાથી યાત્રાળુવર્ગ મટરબસેથી અવર-જવર કરે છે. એલચપુર ગામની શોધમાં કંઈક પ્રબંધકારે ઈંગલી ગામ લખે છે. હોલી હાલમાં છે તે શીરપુરથી સમીપ છે. કેઈક પ્રબંધકારે ખર-દૂષણ નામ લખે છે, અને કેઈક સ્થળોએ માલી–સુમાલી નામે છે. આ મૂર્તિ પ્રાચીન છે. રાવણના સમયની છે એ વાત તે પૂરવાર થઈ ચૂકી છે. સર્વમાન્ય અને શંકા વગરની છે.
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy