SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ANAAAAAAAAAAA ૯. જ્ઞાન એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે. આત્માની મિથ્યાત્વદશાને અજ્ઞાનભાવ કે અબોધભાવ કહે છે. વિભિન્ન દાર્શનિક પરંપરા એને વિવિધ સ્વરૂપે ઓળખાવે છે. સાંખ્ય એને ‘દિદશા’ કહે છે. શૈવો એને ‘ભવબીજ’ કહે છે. વેદાંતીઓ એને ભ્રાંતિરૂપા ‘અવિદ્યા' કહે છે. બૌદ્ધો એને અનાદિ લેશરૂપ વાસના કહે છે અને જૈનો તેને ‘મિચ્યાત્વ અજ્ઞાન’ અથવા ‘અબોધ' કહે છે. અનાદિ સંસારનું મૂળ અજ્ઞાન છે. જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટા બાહ્યથી જોતાં ઘણી સામ્યવાળી લાગતી હોવા છતાં આંતરિક રીતે તફાવત હોય છે. જ્ઞાનીને. ઓળખવા માટે દૃષ્ટિ હોવી જોઈએ, જ્ઞાની-અજ્ઞાનીના ભેદ પારખવા માટે બળવાન પાત્રતાની આવશ્યકતા હોય છે. પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મો, જ્ઞાની તેમજ જ્ઞાની બન્નેને ભોગવવાં તો પડે જ છે, તે કર્મના ફળરૂપે શાતા પણ આવે અને અશાતા પણ આવે. પ્રવૃત્તિ પણ આવે અને નિવૃત્ત પણ આવે. દુઃખ રોગ આવે ને નીરોગીપણું પણ આવે. લાભ થાય, નુકસાન પણ થાય. એટલે પૂર્વે જેવાં કર્મ કર્યાં હોય તેનું ફળ જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સરખું જ મળે છે પરંતુ આમાં જે કાંઈ તફાવત છે તે ફળને સ્વીકારવાની શાનસાધના અને સરસ્વતી વંદના ૪૫
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy