SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ નતા પૂર્વક કરી શકીએ કે, કઠિન ( આ જગાએ મૂળ માગધી પા। ) સૂત્રેાના ગુજરાતીમાં ટખ્ખા કરવાની છુટ હોય તે। પછી કર્જન સુત્રાને સરળ કરવાના હેતુથી લખાયેલી ટીકાઓને ગુજરાતી કે બીજી દેશભાષામાં ઉતારવાની ક્રમ મના હૈાય ? આ રીતે, ઉપર મુજબની એ દલીલેામાં નિરૂત્તર થયા બાદ એક દલીલ એવી આવવાનેા સંભવ છે કે, કયાં મૂળ ટમ્બાકાર પૂર્વ પુરૂષાની શક્તિ અને કયાં આ સભાના અનુવાદકા-ભાષાંતરકારેાની શક્તિ ? તેઓની આ દલીલના વિસ્તારથી ઉત્તર ભાષાન્તરની શુદ્ધિ સંબંધમાં લખેલ પ્રસંગમાં હવે પછી જોવામાં આવશે. અહીં પણ કાંઇક કહેવાની જરૂર છે. અમારે ન્યાયમુદ્ધિપૂર્વક ચાલવું ોઇએ અને તેથી તે બુદ્ધિથી સ્વીકારી લઇએ છીએ કે, પૂર્વના ટબ્બાકાર પુરૂષા અને અમારા સભાના અનુવાદકા વચ્ચે ઘણાજ માટે અંતર માનવામાં અમારી સમ્મતિ છે. આમ છતાં અમારા અનુવાદકાને માટે માળાવખેાધ રૂપ ગુજરાતી રખ્ખા લખનારા પૂર્વના સત્પુરૂષાએ, એવેા સરળ માર્ગ કરી દીધા છે કે તેની સહાયતાથી અમારા અનુવાદકાના મૂળ માગધી ગાથાએાના ભાષાંતરામાં ભલા થવાના બહુજ એ અવકાશ રહેશે. મૂલ માગધી ગાથાઓના બાળાવમેધ રૂપે ગુજરાતી ટખ્ખાએ ખરી રીતે કહીએ તેા ગુજરાતી ભાષાંતરેાજ છે. ગુજરાતી ટમ્બ્લરૂપી ભાષાંતરા જૂની ગુજરાતી -પંદરમાંથી સતરમાં-અઢારમાં સૈકાની-ભાષામાં થયેલા છે. એટલે અમારા અનુવાદકાને માત્ર જૂની ગુજરાતીને અત્યારની પ્રચલિત-સંસ્કારી ગુજરાતી ભાષાને માત્ર આકારજ આપવાના છે. જેમ કરવામાં ભૂલેા થવાના ઘણાજ એછે. અવકાશ રહે એમ બળવાન્ ભાષા શાસ્ત્રીએએ પણ કબૂલ કરવુંજ જોઇએ. હવે સંસ્કૃત ટીકાના ભાષાંતરા સબંધમાં કહીએઃ અમેએ એવેા નિશ્ચય કર્યાં છે કે, માણસ જાતની જેટલી શક્તિ કામે લગાડાય તેટલી લગાડીને શુદ્ધ ભાષાંતરેાજ કરાવવાં. ભાષાંતરાની શુદ્ધિના સબંધમાં બીજી ગોઠવણાની સાથે અમે એક એવી ગેાઢવણુ કરવા ધારી છે કે, અકેક સૂત્રનું ભાષાંતર છે જૂદા જૂદા ભાષાંતરકારો પાસે સ્વતંત્ર કરાવવું. દાખલા તરીકેજ, શ્રી ભગવતી મુત્રનું ભાષાંતર બે જુદા જુદા માણસા સ્વતંત્ર રીતે કરે. બન્નેના સ્વતંત્ર રીતે થયેલાં ભાષાન્તરાની પછી મેળવણી (comparision) કરવી. જે પ્રસ ંગેામાં બન્ને ભાષાન્તરકારા જૂદા પડયા હોય તે પ્રસગાના નિર્ણય ત્રીન પુરૂષ પાસે કરાવવેા; અને તે ઉપરાંત પાછા આગમજ્ઞાનથી પરિચિત પુરૂષાની એક તપાસનારી મંડળી ( Revision committee)ની પાસે તપાસવવ. જેમ એક ગણિતના હિસાબ એ જૂદા જૂદા માણસાને સ્વતંત્ર રીતે કરવા માટે સોંપવામાં આવે; અને તે બન્નેના જવાબ સરખા મળી રહે, તે તે ખરા જવાબ તરીકે સ્વીકારી લેવામાં કાંઈ ખેતું ન ગણાય, તેમ અમારા ભાપાંતરા સબંધમાં થશે. જ્યાં બન્ને ભાષાંતરકારા જુદા પડતા હશે ત્યાં ત્રીજા વિદ્વાન પાસે ખુલાસા લઇ પાછા આગમના અભ્યાસીઓને બતાવવામાં આવશે. આવી રીતે બે જૂદા જૂદા અનુવાદકે દ્વારા સ્વતંત્ર રીતે બે ભાષાંતરા કરાવતાં અમેને બમણી શક્તિ અને બમણા દ્રવ્ય આદિના વ્યય કરવા પડશે, છતાં તેવી ગોઠવણામાંથી અમે એટલા માટે અમારા ભાષાંતરે પસાર કરાવવા માગીએ છીએ કે, અમારાં ભાષાંતરે નમુનરૂપ (nodel) થઇ શકે. આ પ્રકારની ગોઠવણુપૂર્વક કામ લીધા પછી ભુલો થવાનો આછાજ અવકાશ ગણાય.
SR No.032016
Book TitleJinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Original Sutra AuthorN/A
AuthorJinagam Prakashak Sabha
PublisherJinagam Prakashak Sabha
Publication Year1913
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy