SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ સર્ચ–લાઈટ, ને માટે એકઠું કરેલું હોય તેને જ સાધારણુદ્રવ્ય કહી શકાય. દેરાસરની કે દેવદ્રવ્યની આવકને સાધારણખાતામાં લઈ જઈ શકાય એવે તેને બીલકુલ અર્થ નથી થઈ શકતે. શ્રાદ્ધવિધિ તથા ધર્મસંગ્રહના આધારે જે એમ કહેવામાં આવે છે કે“શ્રાવકે બીજા ખાતામાં ધનને ખર્ચ નહીં કરતાં મુખ્યત્વે સાધારણખાતામાં જ ખર્ચવું.” તેને એક દલીલની ખાતર વ્યાજબી માની લઈએ તે પણ તેથી દેવભક્તિ નિમિત્તની-દેવપૂજાદિ ની બોલીની આવકને સાધારણ ખાતામાં લઈ જવી એમ નથી કરતું. ચક્કસ રકમ દેવદ્રવ્યના સ્વરૂપમાં ન આવે ત્યાં સુધી તેને ઉપયોગ સ્વતંત્રપણે થઈ શકે. પરંતુ દેવદ્રવ્ય બનેલી રકમને સાધારણનું રૂપ આપવું એ કેઈની સ્વતંત્રતાને વિષય નથી, દ્રવ્ય ખર્ચનાર મનુષ્ય બીજા ખાતામાં નહીં ખર્ચતાં સાધારણને પ્રધાનપદ આપે અને તેમાં પિતાના દ્રવ્યને સદુપયોગ કરે તે તેને માટે કઈ વાંધો ન લઈ શકે. વળી સાધારણુદ્રવ્ય શ્રાવકે ભક્ષી જશે એવા વારંવાર અપાતા આક્ષેપ ઉપર પણ અમે વજન નથી મુકી શકતા. કારણ કે સાધારણુદ્રવ્ય શ્રાવક પિતાની મરજી મુજબ ન વાપરી શકે–શ્રીસંઘની સત્તા એ વિષયમાં પણ મર્યાદિત છે. ધીમે ધીમે આપણે એ વિષય ઉપર આવીશું. આ પણે પ્રશ્ન અત્યારે મુખ્યત્વે સાધારણખાતામાંજ દ્રવ્ય ખર્ચવું કે કેમ એ સંબંધી છે, એ ન ભૂલવું જોઈએ. - દ્રવ્ય ખર્ચનાર મનુષ્ય પોતાના દ્રવ્ય માટે સ્વતંત્ર હોય છે. તેની ઈચ્છા હોય તે તે દેવભક્તિ નિમિત્તે ખર્ચ અથવા *અન્ય ગમે તે ખાતામાં ખર્ચે. દ્રવ્ય ખર્ચવા ઈચ્છનાર મનુષ્યના હાથ કેઈ શાસ્ત્રકારે બાંધી લીધા નથી. તેની સ્વતંત્રતા લુંટી લેવાને અદ્યાપિ પર્યન્ત કેઈએ પ્રયત્ન કર્યો નથી. હા, એટલી વાત તે ચોક્કસ છે કે દેવભક્તિ નિમિત્તે આરતી-પૂજાદિની બોલી બોલવી અને પછી તે બેલીનું દ્રવ્ય સાધારણખાતે ઉપ4 જવાની અનિયંત્રિત સત્તા કઈ શાસ્ત્રકારે હજી સુધી કેઈને
SR No.032005
Book TitleDevdravya Par Shastriya Pramanonu Search Light
Original Sutra AuthorN/A
AuthorAnandvijay
PublisherPurushottamdas Jaymal Mehta
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy