SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૨] સિદ્ધક્ષેત્ર ૩૩૧ પ્રશ્નકર્તા ઃ એટલે આ જે એકદમ ઘન કહે છે. અહીંયા, તે એકદમ સોલિડ થઈ જાય એવું ? દાદાશ્રી : હંઅ, જે પોલો ભાગ છે ને આપણી અંદર.... પ્રશ્નકર્તા એ બધો નીકળી જાય. દાદાશ્રી : વન થર્ડ નીકળી જાય. પ્રશ્નકર્તા એટલે પછી એ સ્વરૂપ રહે. પોલો ભાગ બધો નીકળી જાય અને જે રહે એને અવગાહના કહે ? દાદાશ્રી : ના, અવગાહના તો જગ્યા રોકે છે તે ભાગને. આ બધી ઝીણી વાતો છે. એટલે હું તને વાત કરુંને, તે તને પહોંચે નહીં. કારણ કે એને માટે શબ્દ નથી હોતા. આત્માનું સ્વરૂપ અઅવગાહક, ત જરૂર આકાશતી પ્રશ્નકર્તા: અણુ-પરમાણુ જગ્યા રોકે છે, તો એવી રીતે સિદ્ધક્ષેત્રમાં આત્મા પણ જગ્યા રોકતો હોય ? દાદાશ્રી : આત્મા જગ્યા રોકતો નથી, અનઅવગાહક. જેનું સ્વરૂપ છે અનૂઅવગાહક. સિદ્ધક્ષેત્રમાં આત્મા એકલો જ અને આકાશ. તેય આત્માને આકાશ હોતું નથી. અનઅવગાહના હોય છે. એટલે આત્મા આકાશ રોતો નથી. આકાશનેય એ પોતે ઉપકારમાં રહ્યો નથી. કારણ કે એને જરૂર નથી પડતી આકાશની. આ ચીજને આકાશની જરૂર પડે. આત્મા અનુઅવગાહક છે. અવગાહનાની જરૂર જ નથી, નહીં તો પરાવલંબી કહેવાય. એ બિલકુલ સ્વતંત્ર છે. ભગવાન સ્વતંત્ર હોય બધાથી. ન રોકે જગ્યા, જુદો પડી જાય આકાશથી પ્રશ્નકર્તા : પણ આત્માની સાથે અવકાશ તો ખરું જ ને ? આકાશ એ તો આત્મા દ્રવ્યની સાથે રહેલું જ છે ને? એને જુદું પાડી નહીં શકાયને?
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy