SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) સિદ્ધક્ષેત્રનું વાતાવરણ પરમાનંદી, તથી ત્યાં ગુરુત્વાકર્ષણ પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં કેવું વાતાવરણ હોય ? ત્યાં મતિ પહોંચી ૩૨૬ શકે ? દાદાશ્રી : ના, મતિ ના પહોંચી શકે. ત્યાં પરમાનંદ છે. પ્રશ્નકર્તા ઃ ગુરુત્વાકર્ષણ હોય ? દાદાશ્રી : ના, વજન જ ના હોયને સિદ્ધોને. પ્રશ્નકર્તા : અવકાશ છે ? દાદાશ્રી : અવકાશ છે. એ બધી બુદ્ધિ પહોંચે નહીં એવી વસ્તુ છે. બહુ ઊંડા ઊતરવા જેવું નથી. ત્યાં વજન નથી, તો એમને શું પડી જવાનું ? ત્યાં પૌદ્ગલિક ચીજ નથી. એટલે ત્યાં ગુરુત્વાકર્ષણ ના હોય. આરા પ્રમાણે સિદ્ધતા આકાર, પણ સુખ સરખું પ્રશ્નકર્તા : અનંતા સિદ્ધો જે સિદ્ધક્ષેત્રમાં રહ્યા છે, એમની રચના કઈ રીતની હશે ? દાદાશ્રી : રચના ? આ અહીં આટલા બેઠા છે તે આ રચના જેવી દેખાય છે ને, એવી જ છે ત્યાં રચના. આ બેઠા છે, કોઈને વઢવાડ છે કશી ? પ્રશ્નકર્તા : અમુક લિમિટેડ સ્પેસની અંદર રહેતા હશેને ત્યાં ? દાદાશ્રી : લિમિટેડ સ્પેસ નથી, એ તો આખું સિદ્ધક્ષેત્ર છે. પ્રશ્નકર્તા : બીજું એ સમજવું હતું કે સિદ્ધો અનંતા છે અનંતકાળથી, એટલે એનું એકબીજાનું આખું બંધારણ કઈ રીતનું છે ? જુદા જુદા આરામાં ગયેલા હોયને, તે એમની દેહની લંબાઈ જુદી જુદી હોયને ? દાદાશ્રી : અવસર્પિણી કાળના ચોથા આરાના મોક્ષે ગયેલા સિદ્ધોનો આકાર નાનો ને ત્રીજા આરાના સિદ્ધોનો આકાર મોટો હોય છે પણ બધા સ્વતંત્ર હોય છે. હા, કેટલાકની તો દસ-દસ હજાર ફૂટ ઊંચાઈ હોય.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy