SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) પ્રશ્નકર્તા : એ કેવું જુએ ? કેવળજ્ઞાનમાં કેવું દેખાય ? દાદાશ્રી : અમે કહીએ છીએ કે અમે આ જોઈને કહીએ છીએ એટલે પ્રજ્ઞા એ કેવળજ્ઞાનનો ભાગ છે. તેમાં રહીને-જોઈને કહીએ અમે. પ્રશ્નકર્તા : એમાં રહીને-જોઈને એટલે કોણ રહે ? પ્રજ્ઞામાં... દાદાશ્રી : જોનારેય તે ને જે જોવાની વસ્તુય તે. પોતે પોતાના સ્વરૂપને જુએ. સ્વ-પર પ્રકાશક. એટલે પોતાને પણ પ્રકાશ કરે અને બીજી પર વસ્તુનેય કરે એવો એ આત્મા ને તે તારી પાસે છે ! જ્ઞાની પુરુષ સ્વ-પર પ્રકાશક હોય છે. એમની કૃપા વરસે એટલે દુનિયામાંના ઊંચામાં ઊંચા પરમાણુ મળે. કરોડો વર્ષનો અંધકાર હોય તોય તે સૂર્યનારાયણ ઊગે એટલે દૂર થઈ જાય. આપણે સ્વ-પર પ્રકાશક છીએ, એટલે કલાકમાં જ અજ્ઞાન ઉલેચી શકાય.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy