SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૩] સ્વ-પર પ્રકાશક પ્રકાશ જે દેખાડે છે, એ પ્રકાશમાં દેખાય પણ છે અને જણાય પણ છે એમ. ૧૬૭ દાદાશ્રી : હં, તે ? પ્રશ્નકર્તા : એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું અને પેલું પ્રકાશક બે વસ્તુ જુદી થઈને ? જોવા-જાણવાનું અને પેલો પ્રકાશ ધરનારો એ બે જુદા થયાને કે એક જ ગણાય છે ? દાદાશ્રી : એ વ્યવહારમાં કહેવાય એવું પ્રકાશ ધરનારો. આ સૂર્યનારાયણ છે એ ધરે છે કોઈને ? પ્રશ્નકર્તા : ના, એમની હાજરી જ છે એમ ! કેવળજ્ઞાતમાં જોઈને પ્રજ્ઞાથી કહે દાદા પ્રશ્નકર્તા : દાદા, આ તમે કહો છો અમે જોઈને બોલતા હોઈએ, દર્શનથી બોલતા હોઈએ છીએ... દાદાશ્રી : એમાં ચિત્ત કામ નથી કરતું, એ તો બધી પ્રજ્ઞા કામ કરે છે ! પ્રશ્નકર્તા : એટલે આ બધી વાતો, પ્રસંગો એમાં પણ પ્રજ્ઞા કામ કરતી હોય છે ? દાદાશ્રી : પ્રજ્ઞાથી જ બધું આ. વાતો-પ્રસંગો અમને યાદ ના હોય. કશી વસ્તુ યાદ ના હોય એ બધી. પ્રશ્નકર્તા ઃ તો એ ડિફરન્સ કેવી રીતે ખબર પડે કે આ પ્રજ્ઞાથી છે કે ચિત્તથી છે ? દાદાશ્રી : એ બધું ખબર પડી જાય તરત જ, કારણ કે દેખવાથી દેખાય અમને. પ્રશ્નકર્તા : એ કેવું, દાદા ? દાદાશ્રી : જેમ કેવળજ્ઞાનમાં દેખાતા હોય ને જોઈને કહે એવી રીતે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy