SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] સચ્ચિદાનંદ સ્વરૂપ ૪૩ અડતાલીસ મિનિટતા ધ્યાને, શરૂઆત થાય સચ્ચિદાનંદની પ્રશ્નકર્તા : ભગવાનનું સ્થળ, માનસિક પ્લાન તો સુલભતાથી હું કરી શકું છું, પણ સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન કરવા માટે શું કરવું ? દાદાશ્રી : ભગવાનનું સુલભતાથી ધ્યાન કેટલો વખત રહે છે ? પ્રશ્નકર્તા ધૂળ, માનસિક રીતે પાંચ-સાત મિનિટ રહી શકે. દાદાશ્રી : એ તો અડતાલીસ મિનિટનો પ્રયત્ન કરવો જોઈએ. અડતાલીસ મિનિટનો પુરુષાર્થ કરવો જોઈએ. અડતાલીસ મિનિટ રહે તો સચ્ચિદાનંદનો છાંટો પછી પડવા માંડે, શરૂઆત થાય. સાત મિનિટનું ચાલે નહીં. અડતાલીસ મિનિટ એક જ ધ્યાનમાં રહી શકાય ભગવાનના, શૂળ, માનસિક ધ્યાનમાં ? પ્રશ્નકર્તા: હા, અડતાલીસ મિનિટ સુધી સ્થળ ધ્યાનમાં સતત રહેવું જોઈએ. દાદાશ્રી : અડતાલીસ મિનિટ થાય તો તમને ફળદાયી થઈ પડશે. સચ્ચિદાનંદ સ્વરૂપનો કંઈક પ્રકાશ, એનો એ આભા પડશે. પછી ધીમે ધીમે આગળ વધતું જાય. પ્રશ્નકર્તા એ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બોલે જ રાખીએ તો અમને એનાથી શું પદ મળે ? દાદાશ્રી : જપયજ્ઞ થાય, બીજું શું થાય? એકાગ્રતા રહે એટલું જ. જેટલા શબ્દો રિયલમાં સમજો એટલામાં એકાગ્રતા રહે. સચ્ચિદાનંદનો અર્થ સમજવો જોઈએ. પ્રશ્નકર્તા: ગીતાનો શ્લોક છે, એમાં અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે જેમ જેમ અભ્યાસ વધે તેમ તેમ તું મારા સચ્ચિદાનંદ સ્વરૂપને પામી શકીશ, તે સમજાવો. દાદાશ્રી : અભ્યાસ શેનો કરવાનો છે ? ત્યારે કહે, અધ્યાસ છોડવાનો. આ દેહાધ્યાસને છોડવાનો અભ્યાસ કરવાનો છે અને સ્વ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy