SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞા નિજ પરિણતિમાં રહેવા માટે જ છે. શુભાશુભ ઉપયોગ એ પરપરિણતિ છે, શુદ્ધ ઉપયોગ એ નિજ પરિણતિ છે. કેવળજ્ઞાન થયા પછી પરિણતિ રહેતી નથી. એક ક્ષણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને “સમયસાર' કહ્યો. [૮.૩] મહાત્માઓની સ્વપરિણતિ અહંકાર એ પૌદ્ગલિક વસ્તુ છે. પુદ્ગલમાંથી આ અહંકાર ચાલુ રહે છે તે પોતે ના કરવો હોય તોયે થયા કરે. (જ્ઞાન પછી) એ નિર્જીવ અહંકાર છે. મૂળ ચૈતન્યશક્તિનો પ્રવાહ સ્વપરિણતિમાં ઉત્પન્ન થયો. એટલે પરપરિણતિ નિર્જીવ રહી. આ જ્ઞાન લીધા પછી અહંકાર વ્યવસ્થિતને તાબે છે. તેને ડિસ્ચાર્જ કરવાનું કામ વ્યવસ્થિતનું છે. પુદ્ગલની જે ક્રિયા છે તે વ્યવસ્થિત કરે છે, તેને પરપરિણામ કહેવાય. તેને જોનાર-જાણનાર પોતે શુદ્ધાત્મા છે, એ સ્વપરિણતિ છે. પરિણતિ એ કર્તા બાબતમાં છે, નહીં કે બહારના વાતાવરણને લીધે. જો પોતે કર્તા તો પરપરિણતિ અને પોતે શુદ્ધાત્મા ને વ્યવસ્થિત કર્તા તો સ્વપરિણતિ. ચંદુભાઈને ગુસ્સો આવે ત્યારે પોતાને એમ થાય કે આ ના હોવું જોઈએ. તો જડ જડભાવે પરિણમે અને ચેતન ચેતનભાવે પરિણમે. જે પૂરણ થયેલો માલ તે ગલન થાય. ગલન એ પરપરિણામ છે. મન ખરાબ વિચારે કે સારું વિચારે, પણ પોતે જાણે કે આ પર પરિણામ છે તો તે સ્વપરિણતિ. વ્યવસ્થિત કર્તા એ જ્ઞાનને લઈને પરપરિણતિ પોતાને રહેતી જ નથી. પરપરિણતિ ઉત્પન્ન થાય તો ચિંતા શરૂ થઈ જાય, જીવ બળે. (ડિસ્ચાર્જ અહંકારની) પરપરિણતિને જુદા રહીને જુઓ એ તપ. જ્ઞાતા-દ્રષ્ટા ના રહેવાય તે ઘડીએ તપ કરવું પડે. 45.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy