SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) દાદાશ્રી : તમે જે જગ્યા પર બેઠા છો એ ક્ષેત્ર છે, સ્પેસ. દ્રવ્ય તમે પોતે. પણ અજ્ઞાનતામાં બન્ને પારદ્રવ્ય, પરક્ષેત્ર છે. - અજ્ઞાનતામાં આ પુદ્ગલને “હું છું એમ કહે છે તે પરદ્રવ્ય કહેવાય. પરદ્રવ્ય એ પોતાની જાતને માને છે. પછી પરક્ષેત્ર, આ ક્ષેત્ર તો પુદ્ગલનું છે ને તે પોતાનું ક્ષેત્ર જુદું છે. તે આ પરક્ષેત્રને એવું કહે છે કે આ મારું ક્ષેત્ર છે. પરભાવ એટલે પોતાનો જે મૂળ સ્વભાવ છે તેનાથી જુદો જે વિભાવ છે, વિશેષભાવ છે, તેમાં પોતે “હું છું માને. એટલે અત્યારે અહીં ભાવ ઉત્પન્ન થયોને, એ પુદ્ગલભાવ છે, એ આત્મભાવ નથી. અને પરકાળ, કાળેય જુદો. અત્યારે પૂછવામાં આ ટાઈમ છે તે પરકાળ કહેવાય. એટલે પરભાવ, પરદ્રવ્ય, પરક્ષેત્ર અને પરકાળ બધુંય પરાયું છે, અને સ્વભાવ, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર અને સ્વકાળમાં આવવાનું ત્યારે મુક્તિ થાય. પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, મહાત્માઓને કેવી રીતે બદલાયા ? દાદાશ્રી : આપણે હવે શું થયું ? પરદ્રવ્ય સ્વરૂપ હતા, તે સ્વદ્રવ્ય સ્વરૂપ થયા. પરક્ષેત્રમાં હતા તે સ્વક્ષેત્રમાં આવ્યા. પરકાળમાં હતા તે સ્વકાળમાં આવ્યા. સ્વકાળ કેવો છે ? સનાતન છે ને પરકાળમાં વિનાશી હતું. અને સ્વભાવમાં આવ્યા, પરભાવથી છૂટા થયા. અને પેલા જે ગલન છે એમાં તો કંઈ ફેરફાર થાય નહીં. એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જે ભાવે ગલન થવાના હોય, એ પ્રમાણે થયા કરે. બની ગયેલી વસ્તુ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. સ્વક્ષેત્રમાં રહેવાનું છે, સ્વદ્રવ્યમાં રહેવાનું છે, સ્વભાવમાં રહેવાનું છે અને સ્વકાળમાં રહેવાનું છે. સ્વકાળ એટલે મરણ જ ના આવે અને પરકાળ એટલે મરણનું કારણ, એ સમજી ગયા તો નિવેડો આવે, નહીં તો નિવેડો શી રીતે આવે ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy