SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) ભાવો લેપ કરે. જગતને આ ભાવો લેપે છે. આ જગત શી રીતે ચાલે છે ? લેપાયમાન ભાવથી ચાલે છે. આખું જગત લેપાયમાન ભાવોમાં જ છે. કહે કે આ મને વિચાર આવે છે. લેપાયમાન ભાવોને મને જ આવે છે, બીજા કોને આવે કહે છે. તેઓ વિજ્ઞાનની આ વાત જાણતા જ નથી. એટલે અમે ખુલ્લું કર્યું આ તમામ લેપાયમાન ભાવો એ પુદ્ગલ ભાવ છે, અને પાછા કહીએ છીએ ખરા કે ભઈ, એ પ્રાકૃતિક ભાવો છે, જડ ભાવો છે, એ ચેતન ભાવો નથી. એ પુદ્ગલના ભાવો એને ચેતન ભાવ માને છે. તેથી કહે છે કે, જડ અને ચૈતન્ય બન્નેના સ્વભાવ ભિન્ન છે. લેપાયમાલતી સશિ જુદી છતાં ચોટે આખા જગતને પ્રશ્નકર્તા: ખાલી એક પોતે એટલું જોઈ લેજે, “શુદ્ધ છું’ આમ. આ વિચાર એ જડ ભાવ છે, હું એનાથી જુદો છું. દાદાશ્રી : હા, એને કહીએ, ‘તમારી રાશિ જુદી, મારી રાશિ જુદી. તમારે ને મારે શું લેવાદેવા (તમે) અહીં આવ્યા તે ?” એ જડ છે ને આપણે ચેતન. એમાં આપણે લેવાય શું જવાનું ? આપણી જાતિનું હોય તો આપણે હજી જરા સાંભળવું પડે. તેથી જ અમે કહીએ છીએને, મનવચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. કારણ કે એ પુદ્ગલ ભાવો છે, એ ચેતન ભાવો નથી. અને આપણે ચેતન ભાવો છીએ. બેને મેળ જ નથી ! આ મારી સાસુ છે, આ મારા મામા છે, આ ફુવા છે, નફો થયો, ખોટ ખાધી, આજે આમ કરવું, તેમ કરવું છે ને ફલાણું કરવું છે, એ બધાય લેપાયમાન ભાવો એ પુદ્ગલ ભાવો છે. તેને પોતે માને કે મને લેપ ચડી ગયો, ચોંટી ગયા. ચોંટી જાય એવા છે, જગત આખાને ચોંટી ગયા છે પણ તમને જ્ઞાન મળ્યું એટલે તમને ચોંટે એવા નથી, કહે છે. લેપાયમાત થતારને જાણે એ દ્રષ્ટા ખુદ પોતે જ પ્રશ્નકર્તા: દાદા, તમે કહો છો કે આ જ્ઞાન આપ્યા પછી નિર્લેપ
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy