SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશક સંસ્થાની કલમે.. પ. પૂ. ગુરુદેવ શ્રી અણુવિજ્યજી મહારાજ સાહેબ મુંબઈ નગરીમાં ધર્મપ્રભાવના કરતા યશસ્વી–સાદગાર ચાતુમસો કરી સર્વ પ્રથમ ગુજરાતની ધરતી ઉપર પધાર્યા. વલસાડ નગરે આંખ, હૃદય તથા દંત ચિકિત્સાથે શ્રી મહાવીર નેત્રયજ્ઞ શિબિર”, હદય ચિકિત્સા શિબિર તથા દંતયજ્ઞ શિબિરે યોજવામાં આવી. જેમાં લગભગ ૩૭પ આંખનાં ઓપરેશન કરવામાં આવ્યાં. આ સાથે સાથે શ્રી મહાવીર શિક્ષણ શિબિર” પણ પૂજ્યશ્રીની નિશ્રામાં નઈ. ઘણુ યુવાનોએ સુંદર અભ્યાસ કર્યો. વલસાડથી વિહાર કરી પૂજ્યશ્રીએ સુરતની ધરતી ઉપર પદાર્પણ કર્યું. ગુરુદેવની વાણી સુસ્ત શહેરમાં ગૂંજતી થઈ. ભાવિકે શ્રવણાર્થે ઊમટવા માંડ્યા. શેઠ ને. મે. વાડી ઉપાશ્રય-ગોપીપુરામાં પૂજ્યશ્રીને ચાતુર્માસ પ્રવેશ થયે. ચાતુર્માસિક 16 રવિવારીય શ્રી મહાવીર જૈન શિક્ષણ-શિબિરનું આયેાજન શ્રી ગેપીપુરા જૈન સંઘે કર્યું. સમસ્ત સુરતના શ્રી સંઘે સારો એ સાથ અને સહકાર આપ્યો. લગભગ 1100 યુવાને આ શિબિરમાં જોડાયા..અને જ્ઞાનામૃત મા ની વાત ચરિતાર્થ કરી. - દર રવિવારે 9-30 થી 12-30 શિબિર બાદ બપોરે 12-30 થી 2-30 વિવિધ દાતાઓ તરફથી શિબિરાર્થીઓની “સાધર્મિક ભક્તિ” રાખવામાં આવતી હતી. આ ભગીરથ કાર્યની ઉત્તમ વ્યવસ્થા કરવા બલ ઉત્સાહી યુવાન વિનોદભાઈ બાબુલાલ શાહ તથા નવીનભાઈ ઝવેરીને અમે હાર્દિક આભાર માનીએ છીએ. - દર રવિવારે બપોરે ર-૩૦ થી 4-00 સકલ શ્રી ચતુર્વિધ સંઘ માટે " સચિત્ર જાહેર વ્યાખ્યાનમાલા” યોજવામાં આવી. જેમાં પૂજ્યશ્રીએ “કર્મ તણું ગતિ ન્યારી.” આ મુખ્ય વિષય ઉપર વ્યાખ્યાનમાળા શરૂ
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy