SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ 227 કરતાં પણ અધિક તે એનામાં સંસાર છે. રાગ-દ્વેષ મેહમમત્વ, માયા-મૂછ–આસકિત એના મનમાં ખૂબ ભરેલી પડી છે. ગુણસ્થાનકે મેહક્ષયની સાધનાગુણસ્થાનકે ચઢવાની સાધનામાં બારમા ગુણસ્થાનક સુધીના બધા સ્થાનોમાં મુખ્યત્વે મેહ-માયા, કલેશ-કષાયે જ છોડવાની પ્રક્રિયા છે. આજ સાધના મુખ્ય છે. આત્મસાધનાને આ જ રાજમાર્ગ છે. મેહનીય કર્મની પ્રચુરતાના કારણે જ સંસારમાં ભટકવાનું છે અને એ જ મેહદશા ઓછી થતાં તરી શકાય છે. માટે ગુણસ્થાનકના એક એક પગથિયા ચઢવા માટે મેહનીય કર્મ એટલું ઓછું કરતા જવું.....અનંતાનુબંધી કષાય ખપે એટલે જીવે થે ગુણસ્થાનકે આવી સમ્યકત્વ પામે છે. અપ્રત્યાખ્યાન કષાયે ખપે એટલે જીવ પાંચમે ગુણસ્થાનકે ચઢી દેશવિરતિધર શ્રાવક બને છે, પ્રત્યાખ્યાનીય કષાય ખપે એટલે જીવ છછું ગુણસ્થાનકે ચઢી સાધુ બને છે. આગળ અપ્રમત્ત બની શ્રેણિ માંડે છે. અપૂર્વ શકિત ફેરવે છે. નવમે ગુણસ્થાનકે આવી સંજવલન કેધ, માન, અને માયા તેમ જ સાથે સાથે હાસ્યાદિ અને વેદ–મોહ પણ ખલાસ કરે છે. અને સંજવલન લેભ ખલાસ કરી સૂક્ષ્મસંપરાય દશમા ગુણસ્થાનકથી યથાખ્યાત ચારિત્ર પામી આગળ વધે છે. વીતરાગી બની. બારમે ક્ષીણમેહ ગુણસ્થાનકે આવી મોહનીય કર્મ ખલાસ કરે છે. અને મેહનીય જતાંજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય પણ જાય છે. ચારેય ઘાતકર્મ ખપતા–તેરમા ગુણસ્થાનકે આત્મા કેવલજ્ઞાની બને છે. અને પછી તે મુક્ત... પરંતુ આટલી મોટી લાંબી સાધનાની મુસાફરીમાં સાધવાનું તે મેહનીય ક્ષય જ ને? એટલે મેહક્ષયની સાધના એ જ ઉત્તમ સાધના છે, એ જ રાજમાર્ગ છે. અને આ જ સાધનાને
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy