SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 150 શ્રી “પંચવસ્તુ શાસ્ત્રમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આ જ કહ્યું છે કે “ભલે અનંતા “દ્રવ્યસ્તવ” અર્થાત્ અનંતી ધર્મની દ્રવ્ય ક્રિયાઓ નિષ્ફળ ગઈ, ને “ભારતવ” અર્થાત્ શુદ્ધ આશય એટલે કે નિર્મળ ભાવ ન આવે, પરંતુ હજી પણ જ્યારે ભાવસ્તવ યાને નિર્મળ ભાવ આવશે. તે દ્રવ્યસ્તવથી જ અર્થાત પવિત્ર ધર્મકિયા-ધર્મ-આચારોથી. આવશે, પરંતુ નહિ કે હિંસાદિ પાપાચારેથી, યા નહિ કે વિષય—વિલાસેથી.” હરિભદ્રસૂરિજી મહારાજનું આ કથન શું સૂચવે છે? અનંતી દ્રવ્યક્રિયાઓ નકામી ગઈ માટે દ્રવ્ય-ક્રિયાને ગૌણ ન કરે. એને તે મુખ્ય જ ઉપદેશવાની રાખે. દ્રવ્ય કિયા યાને ધર્મના આચાર-અનુષ્ઠાનના ગુણ ગાઈને જ એના આધારે ભાવની નિર્મળતા યાને આશયની શુદ્ધિ કરવાનું ઉપદેશે, પરંતુ ધર્મ–કિયાને ધર્મના આચારને વખોડીને નહિ. ઉપાથાય યશોવિજયજી મહારાજ પણ અમૃતવેલીની સઝાયમાં આ જ કહે છે - ઉચિત વ્યવહાર અવલંબને, સ્થિર કરી મન: પરિણામ રે, ભાવીએ શુદ્ધ નય ભાવના, પાવનાશયતણું ધામ રે! અર્થાત્ (સાધુ કે શ્રાવકને) ઉચિત જેટલા આચાર– વ્યવહાર છે, તેનું પાલન કરતાં કરતાં તેના આલંબને મનના
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy