SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન જીવવાના ઉપાય [ ૫૫ ] [ પ ] આપણી રહેણીકરણી, દૈનિક જીવન, આચારવિચાર, વન અને આપણા વ્યવહાર ઉપરથી તુરત નક્કી થઇ શકશે કે આપણે ડાહ્યા છીએ, વિચારશૂન્ય છીએ કે મૂખ છીએ. ડાહ્યામાં ગણાવાતુ સૌ કાઈને ગમે. અને આપણે ધારીએ અને મક્કમપણે વર્તીએ તે જરૂર ડાહ્યા થઈ શકીએ. માનવજાત માટે કાઇ વસ્તુ અશક્ય નથી, પરંતુ વન મૂખનું રાખીએ અને ડાઘા હાવાના ડાળ કરીએ તે તેવા દંભ આજના બુદ્ધિપ્રધાન જમાનામાં ચાલી શકશે ? ડાહ્યા થવુ જ હાય તેા ડહાપણપૂર્વક જીવન જીવવાની શરૂઆત કરી દેવી જોઇએ, તેા ક્રમે ક્રમે વધુ ને વધુ ડાહ્યા થતા જશું. પ્રગતિના છેડે જ નથી. * [ ૬ ] આને માટે મહાપુરુષોએ બહુ સરળ માર્ગ ઉપદેશ્યા છે જેના મુખ્ય સાર નીચે મુજબ છેઃ—— ( ૧ ) ગરીબાઈ એ ગુન્હા નથી કે તેમાં પાપ નથી, શ્રીમંતાઇમાં સામાન્ય રીતે અનેક પાપકમાં, દૂષણા અને દુÇણા અંતગ ત છૂપાઇ રહેલા હોય છે, માટે ગરીબાઇમાં સુખ અને સતાષ માની અનીતિથી આધે રહા, જરૂરીઆત ઘટાડા, સાદાઇથી જીવા, ખાટા ખરચા તદ્દન અધ કરેા અને આવકથી ખર્ચ એછે કરો, વ્યવહારમાં બહુ તણાઈ ન જાએ. શક્તિ પ્રમાણે ભક્તિ, સેવા કે સ્વાગત કરા, દેવુ કરીને દોડે તે જરૂર ઠોકર ખાને નીચે પડે. (૨ ) શ્રીમાના જેવા દેખાવાના ડાળ ન કરો, તેના જેવા પડા, પોષાક, દાગીના, રહેણીકરણી, રહેઠાણુ, વાહન કે નોકરચાક્રની ઈચ્છા કરવી તે પાપ છે અને શક્તિ ન હોવા છતાં તેનું આંધળુ અનુકરણ કરવું, તે મહાપાપ છે. પુરુષાર્થ કરી ન્યાયપૂર્ણાંક દ્રવ્ય કમાતા શીખે! અને પછી શ્રીમતના વૈભવ ભોગવવાને લાયક અનેા. (૩) ખાસ કરીને સ્ત્રીવર્ગ જો સમજે અને ધુણીની આવકને ખ્યાલ રાખી ઓછા ખર્ચીમાં જીવન ચલાવવાના નિશ્ચય કરે તેા ધણા કુટુંબે પાયમાલ થતા અટકે. સ્ત્રીઓએ સમુજવુ જોઇએ કે તેમની
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy