SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૪ ] અનુભવ-વાણી સિવાય કામ કરે તે. (૨) મગજમાં જે જાતના તરંગ ઉઠે તે મુજબ્ કામ કરે તે. ('કું`) આવેશમાં આવી કામ કરે તે. ( ૪ ) લાભાલાભના કે હિતાહિતના ખ્યાલ ન કરે તે. ( ૫ ) ઇંદ્રિયાથી પ્રેરાઈને કામ કરે તે ( ૬ ) ભાગ્યને ભરાસે રહી આંખ મીંચીને કામ કરે તે. ( ૭ ) ખીજાએ કહે તે પ્રમાણે કરે તે. ( ૮ ) અંતરનાં અવાજને સાંભળ્યા વિના કામ કરે તે. (૯) જડભરતની જેમ સ ંજોગોને ખ્યાલ કર્યાં વિના કામ કરે તે. જગતના વ્યવહારની દષ્ટિએ વિચારશૂન્ય માણસા જડભરત ગણાય છે, પરંતુ આ કક્ષામાં ઘણા માણસો યાગી, ધ્યાની, સિદ્ધ, મહાત્મા કે મહાપુરુષો પણ હાય છે. તેવી જ રીતે ઘણા બુદ્ધિહીન માણસા પણ હાય છે. [૩] મૂર્ખ માણસા અનેક પ્રકારના હોય છે. ( ૧ ) વિવેકહીન ( ૨ ) માહ અને સ્વાર્થથી અંધ ( ૩ ) બુદ્ધિ વિનાના અથવા કુમુધ્ધિવાળા ( ૪ ) જીદ્દી અને કદાચહી ( ૫ ) વેરવૃત્તિવાળા અને ઇર્ષ્યાળુ ( ૬ ) અભિમાની અને ક્રોધી ( ૭ ) જગતને હાનિ કરનારા ( ૮ ) ખીજાઓના દાખલા ઉપરથી ધડા લઈ શીખવાને બદલે અખતરા કરી, ડોકર ખાઇને પછી શીખનારા અને (૯) મોટા અને વધુ લાભ જતા કરી ઘેાડા અને ક્ષુદ્ર લાભથી સ ંતાષ માનનારા-આવા બધા માણસાની ગણતરી મૂર્ખમાં થાય છે. [૪] આપણે પાતે કેવા છીએ અને ઉપર જણાવેલા કયા વમાં આવી શકીએ છીએ તેને નિર્ણય આપણે દરેકે પાતે કરી લેવા જરૂર છે. આરસીમાં આપણું સ્વરૂપ બરાબર જણાઇ આવશે. આપણને જોતાં ન આવડે અથવા પ્રકાર પારખવાની શક્તિ ન હોય તા ખીજાને કહેવાથી ખીજાએ આપણી પરીક્ષા કરી આપશે. અને સાચુ'' સ્વરૂપ આપણુને સમજાવશે. આપણું સાચું સ્વરૂપ આપણે અવશ્ય જાણવુ જોઇએ અને સમજવુ જોઇએ.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy