SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬ ] અનુભવ-વાણી કે આડકતરી રીતે આમાં ભાગ લે, આવી બાબતાને સંમતિ આપે, અથવા પાતે નિમિત્ત બને તે તેમાં શાસનની શી સેવા થાય છે? કે કયા પ્રકારનું આત્મકલ્યાણ સાધી શકાય છે? આ બાબતમાં સારાસારની વિવેકબુદ્ધિ રાખવાની શું જરૂર નથી ? * આ તા . વ્યક્તિને સ્પતી બાબત થઇ પરંતુ કાઈ શાસનને કે સમાજને લગતી બાબત હાય અને તેને અંગે ભિન્ન ભિન્ન સમૂહમાં ભિન્ન ભિન્ન માન્યતા પ્રવર્તતી હેાય તે તેવા સંજોગામાં શાણા માણસોએ કેવું વર્તન રાખવું તે પ્રશ્ન ગંભીર વિચારણા માગે છે. દરેક પક્ષ સદ્ગુદ્ધિથી એમ માનતા હોય છે કે “અમારા વિચારો, માન્યતા, ક્રિયા અને વન શાસ્ત્રને અનુસરીને છે, અમને શાસ્ત્રમાં સંપૂર્ણ શ્રદ્ધા છે અને અમે જે કરીએ છીએ તે શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ નથી.” આ માન્યતા ઉપર સૌ કાઈ દરેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે. આ પ્રમાણે માન્યતા ધરાવવામાં અને તે પ્રમાણે વર્તવામાં જો સાચા કે વિરેાધી પક્ષ તરફથી વિક્ષેપ ઊભા કરવામાં ન આવે, તે કશા ઊહાપાહ કે ઘણું ઊભા ન થાય. પરંતુ દરેક વ્યક્તિ કે પક્ષ જ્યારે અહંતાપૂર્વક એમ માને છે કે “ હું સાચા છું, મારા અભિપ્રાય અને મારી માન્યતા શાસ્ત્રને અનુસરીને છે એટલે જ તે જ સાચી છે. આનાથી વિરુદ્ધ વિચાર કે માન્યતા ધરાવનાર દરેક જણ નાસ્તિક, ધર્મદ્રોહી, શાસનહિતના કટ્ટર દુશ્મન અને સમાજના પ્રખર વિરોધી છે; માટે બધાએ તેના વિરોધ કરવા, બહિષ્કાર કરવા, તેની સાથે વ્યવહાર ન રાખવા અને તેનાથી ચેતીને ચાલવા પ્રજાને ચેતવણી આપવી.” આ પ્રકારની રીતભાત, વન, ઊહાપાત કે વિરાધમાં સાચેા ધર્મ, સાચું ધી`પણું કે માનવતા કયા પ્રકારની કે કઇ રીતે છે? આની સાચી સમજ સમાજને કાણુ આપશે ? શાસ્ત્ર અને શાસ્ત્રમાં લખેલી વાતા સૌ માન્ય કરે છે, વાંધો નથી. વાંધા ક્ત એ જ વાતમાં આવે છે. એક તો હું માનુ તે સાચુ અથવા શાસ્ત્રોના લખાણના હું જે અર્થ કરું છું તે જ સાચા અ છે. હું જે પુસ્તકનો આધાર ટાંકું છું તે જ પુસ્તક સમાન્ય અને
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy