SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮ ] અનુભવ-વાણી અદલવાની અથવા માનવજીવનને ટકાવી રાખવાની મુખ્ય આવશ્યકતા ઊભી થઈ છે તે ઉપર સૌથી વધુ અને સૌથી પ્રથમ લક્ષ આપવુ જરૂરનું થઈ પડયું છે. આ બાબતમાં એ મત હોઈ શકે જ નહિ. સમાજમાં ખૂણે-ખૂણુામાં નજર ફેંકા તે તેજ વિનાના ચહેરા, દુબળા અને કૃશ થએલા શરીર, ચેતન વિનાના હાથપગ અને અવયવા, ચિંતા, ઉપાધિ અને આર્થિક લાભથી નીચેાવાઈ ગએલ કાયા, કુરકાજીરકીવાળું કલેશમય ગૃહજીવન, સત્વહીન નિરુત્સાહ અને દેખાવ પૂરતા અથવા ગરીબાઇને છુપાવતા વ્યવહાર અને વર્તાવ, ધનના મદથી માણુસાઈભૂલેલા શ્રીમંત વર્ગ, સાચા ખાટા પ્રપંચા, ખુશામત કે લૂંટણનીતિથી જીવન ચલાવતા મધ્યમ અને વેપારી વ, ખીજાની મદદની અપેક્ષા રાખતે આળસુ અને પ્રમાદી નીચલા વર્ગ, લાગણીશૂન્ય અને 'પ વ્યશિથિલ નાયક વર્ગ, સમાજની આર્થિક ઉન્નતિને પાપના બંધરૂપ માનતા શ્રમણુ વ–આ ચિત્ર માટે ભાગે દરેક સ્થળે દૃષ્ટિગોચર થાય છે. વ્યાખ્યાનમાં, સામૈયામાં, જ્યાં જ્યાં માટે માનવસમુદાય ભેગા થાય છે ત્યાં નજર ફેંકા તે આ દુઃખદ દ્રશ્ય, હૃદય ખુલ્લુ અને લાખણી ભરેલુ હાય ત્યાં જરૂર ઉલ્કાપાત મચાવશે, પણુ કલ્પાંત કરીને બેસી રહેવાથી દારિદ્રય ન જ ફીટ. આ જ ક્ષણે નિશ્ચય કરા કે “મારે ઉદ્યમ અને જાતમહેનત કરી મારા કુટુંબના નિર્વાહ કરવે છે. જ્યાં સુધી હું સ્વાશ્રયી ન ખનું ત્યાં સુધી પરણીશ નહિ અથવા મારી સતતિ કમાતા ન શીખે અને ઉ ંમરલાયક ન થાય ત્યાં સુધી તેને પરણાવીશ નહિ, દેવું કરીને પ્રસ ંગેા ઉજવીશ નહિ. બીજાની મદદથી જીવવાની વૃત્તિ રાખીશ નહિ, ધર્માંવિરુદ્ધ આચરણ કરીશ નહિ. આવક કરતાં ખર્ચ ઓછો રાખીશ અને તેમાંથી ઘેાડુ બચાવી તે બચતમાંથી યથાશક્તિ હિસ્સો માનવજાતિની ઉન્નતિ માટે પ્રેમપૂર્વક આપીશ.” બીજા પ્રકારના પચ્ચકખાણ કરતાં આવા પચ્ચકખાણની અત્યારે ખાસ વધુ જરૂર છે.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy