SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વિષમતા હોય. એ પ્રમાણે ગંધ-રસ અને સ્પર્શને અનુલક્ષીને પણ પરમાણુઓમાં અન્ય સમાનતા અને વિષમતા સમજવી. એક એક પરમાણુમાં ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને વિષય, વર્ણ–ગંધરસ અને સ્પર્શ હેવા છતાં પણ તે વર્ણાદિ એટલી બધી સૂક્ષ્મતાવાળા છે કે તે ઈન્દ્રિયગોચર બની શકતા નથી. વર્ણાદિમાં વિવિધતા યા સમાનતાવાળા ઘણું પરમાણુઓનું સંઘદૃન થઈ તે સ્કંધરૂપે બને છે, ત્યારે જ તે વર્ણાદિની સ્પષ્ટતા આપણે ઇન્દ્રિય દ્વારા અનુભવી શકીએ છીએ. પરમાણુના સંઘટ્ટનસ્વરૂપ સ્કંધમાં તે વિરૂદ્ધ વર્ણાદિવાળા અણુ-પરમાણુઓનું મિલન હોવાથી એક સ્કંધમાં પાંચે વર્ણ, પચે રસ, બે ગંધ અને આઠ સ્પર્શ પણ હોઈ શકે. - એક પરમાણુમાં કોઈ પણ પ્રકારને એક જ વર્ણ, એક જ ગંધ, એક જ રસ, અને બે સ્પર્શ હેવા છતાં સમસ્ત પરમાણુઓની અપેક્ષાએ વધુમાં વધુ વર્ણ પાંચ, ગંધ બે, રસ પાંચ અને સ્પર્શ ચાર હોઈ શકે. કારણ કે મૌલિક્તાની દ્રષ્ટિએ વર્ણાદિ તેટલી જ સંખ્યાવંત છે. આમાં ચાર સ્પર્શે તે શીત–ઉષ્ણ–સ્નિગ્ધ અને અક્ષ છે. લઘુ-ગુરૂ, મૃદુ અને કઠિન એ ચાર સ્પર્શેમાંથી એક પણ સ્પર્શ વિશ્વના કોઈ પણ પરમાણુ સ્વરૂપ પુદ્ગલમાં નહિ હોવાથી સિદ્ધ થાય છે કે એ ચરે સ્પર્શી મૌલિક નહિં હતાં સંગજન્ય છે. માટે એ ચાર સ્પશે ઉત્પન્ન થવાની કોઈ
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy