SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તે વર્ણાદિની સૂક્ષ્મતાના અંગે છસ્થ જીવને ઈન્દ્રિયગમ્ય થઈ શકતાં નથી. તે પણ તેવા પુદ્ગલથી થતી સામુહિક કિયાઓ દ્વારા તે પદાર્થો દષ્ટિગોચર સ્વરૂપને પામી શક્તા હેવાથી તેઓનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ પગલિક પદાર્થો આ વિશ્વમાં અગણિત છે, અને તે સંસારી જીને અમુક અમુક પ્રવૃત્તિ કરવામાં ઉપયોગી બને છે. ઉપયોગીતાની વિવિધતાએ તે અગણિત પુદ્ગલ પદાર્થોને વિશ્વના પ્રાણીઓ વિવિધ સંજ્ઞાથી સંબોધે છે. જૈનદર્શનમાં પુદ્ગલદ્રવ્યનું વર્ગીકરણ સુંદર વિજ્ઞાનતાથી કર્યું છે. તેમાં સામાન્યતઃ પુદ્ગલને, આણુ અને સ્કંધ એમ બે વર્ગમાં વિભક્ત કરેલ છે. આ બન્ને વર્ગનું સૂચન તે પુગલપદાર્થની અનુક્રમે એકાકી અને સંમિલિત અવસ્થા સૂચક છે. અવિભાજ્ય અવસ્થાવંત પુદ્ગલને આગુસ્વરૂપે અને સવિભાજ્ય અવસ્થાવંત પુદ્ગલને સ્કંધરૂપે ઓળખાય છે. પરમાણુપુદ્ગલ સૂફમાતિસૂક્ષમ છે. કેવલજ્ઞાની તથા પરમાવધિજ્ઞાની જ જેને જાણે છે અને દેખે છે. સાધારણ જ્ઞાનવાળા જીવે તે પરમાણુસ્વરૂપ પુદ્ગલને અનુમાનથી જ જાણી શકે છે. તે અવિભાજ્ય, અછે, અને અદાહ્ય છે. તે નથી બળતા કે નથી ભીંજાતા, જગતમાં કોઈપણ પરમાણુ નષ્ટ થતું નથી, તેમ ન ઉત્પન્ન થતું નથી. જગતમાં જેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુઓ છે, તેટલી સંખ્યા પ્રમાણુ જ રહેશે. અણુસ્વરૂપે રહેલ પુદ્ગલપદાર્થ સદાના માટે આણુસ્વરૂપે જ પણ રહેતા નથી. એક અણુપુદ્ગલ અન્ય
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy