SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન હિતેપદેશ ભાગ ૨ જે. धर्म रसायण- सेवन कर. इदं शरीरं परिणाम दुर्बलं, पतत्यवश्यं श्लथ सन्धिजर्जरं किमौषधैः क्लिश्यसि मूढ दुर्मते, निरामयं धर्म રસાયન વિ . ? | ગમે તેટલું પાળ્યું પડ્યું છતાં પરિણામે દુર્બળ એવું આ શરીર તેના સાંધા નરમ પડવાથી જાજરૂ થયું હતું અંતે અવશ્ય (એક દિન) પડવાનું જ છે, તે હે મૂઢ દુર્મતિ ! તું શા માટે અનેક જાતનાં ઔષધ ભેષજ કરીને દેહનું દમન કરે છે? કેવળ નીરોગી અને નિરૂપમ એવા ધર્મ રસાયણ નું જ તું અહોનિશ પાન કર. ધર્મ રસાયણવિના કદાપિ તારા જન્મ, જરા અને મૃત્યરૂપી ભાવ-નેગેનું નિકંદન થઈ શકશે જ નહિ. જન્મ જરા અને મૃત્યુ એજ પ્રાણીના ખરેખરા રંગ છે. અને ધર્મરસાયનવડેજ તે દુર થઈ શકે તેમ છે. તે પછી જન્મમરણજન્ય અનંત દુઃખથી ઉદ્વિગ્ન થયેલા મુમુક્ષુ જનેએ તેનું પાન કરવા શા માટે ઢીલ કરવી જોઈએ? વીરપ્રભુએ શૈતમ સ્વામીને પણ પૂર્વે કહ્યું છે કે “ગેયમ મ કર પ્રમાદ” એ વચન બહુ બહુ મનન કરવા ગ્ય છે. આપણા સાચા અર્થમાં-સ્વાર્થમાં અનાદર કરે, સ્વહિતથી ચુકવું, સ્વ કર્તવ્યથી ભ્રષ્ટ થવું, અને નહિં કરવા ગ્ય કરવાને તત્પર થવું, તેનું નામ જ્ઞાની પુરૂષ પ્રમાદ કહે છે. ટૂંકાણમાં સર્વજ્ઞ પ્રભુની અતિ હિતકારી આજ્ઞાની ઉપેક્ષા કરીને સ્વચ્છેદ વર્તન કરવું તેનું નામ પ્રમાદ છે. મા, વિષય, કષાય, નિદ્રા,
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy