SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ એ. છે ત્યાર્થ છે ૧. હું અને મારું એ મેહને મહામંત્ર છે. તેણે આખા જગતને આંધલું કર્યું છે. પણ જે તેની પૂર્વે એક નકાર જોડશે, હોય તે “નહિ હું અને નહિ મારું” એ પ્રતિમંત્ર થાય છે અને તેથી સામા મહિને જ પરાજય થાય છે. મોહે પિતાના મંત્રથી જગત માત્રને વશ કરી લીધેલું છે પણ જે સદ્દગુરુ કૃપાથી પ્રતિમંત્ર હાથ લાગે છે તેથી સમૂલગ મેહને જ પરાભવ થઈ શકે છે. માટે મેહને પરાજય કરવા માટે મોક્ષાથએ તે પ્રતિમંત્રનેજ સેવ યુક્ત છે. મમતાને મુકીને સમતાને સેવવાથી ઉક્ત મંત્ર સિદ્ધ થઈ શકે છે, ૨. શુદ્ધ આત્મદ્રવ્ય એજ હું છું અને શુદ્ધ જ્ઞાનગુણ એજ મારું સર્વસ્વ છે. પણ આ દેહ એ હું નહિ તેમજ લહમી કુટુંબ વિગેરે મારું નથી એવી શુદ્ધ સમજ મેહને વિનાશ કરવા સમર્થ શસ્ત્રરુપ નીવડે છે. ૩. ગમે તેવા સમયેગમાં જે સમતા ધારી રાખી મુંઝાતા નથી તે આકાશની જેમ પાપપંકથી લેપાતાજ નથી. સમ વિષમ સાગોમાં મુંઝાઈ જે સંકલ્પ વિકલ્પને વશ થઈ આdધ્યાનમાં પડી જાય છે તેજ પાપ પંકથી લેપાય છે. ૪. સંસારમાં રહ્યા છતાં ઠેકાણે ઠેમણે સંસારનું નાટક જે. ઇને જે ખેદ પામતા નથી તેવા મધ્યસ્થ દષ્ટિ મેહથી લેપાતા નથી. સંસારમાં સગયેગે પણ જે સમભાવ તજતા નથી અને ને સર્વત્ર સમાનભાવ રાખે છે એવા સમભાવીને સમતાના બલથી મોહ પરાજીત કરી શકતું નથી.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy