SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જે, સેવન કરવાથી દેશ સંયમના અધિકારી તે શ્રમણોપાસકશ્રાવક હોય છે. ચારિત્ર–સર્વ (સર્વશે) સંયમ લેવાને શે કેમ છે? સર્વ સંયમ ગ્રહણ કર્યા બાદ કદાચ કવશાત્ તે બરાબર પળી ન શકે તે તેને શો ઉપાય છે તે બતાવે ! - સુમતિ–પૂર્વે બતાવેલા અક્ષુદ્રતાદિક ગુણના અભ્યાસવડે હદયની શુદ્ધિ કરી, સદ્દગુરૂ ગે સદ્વિવેક યા સમકિત પામવાથી ચતુર્થ ગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ શંકા કે. ખાદિક દૂષણ ટાળીને, શુદ્ધ દેવ ગુરૂ સંઘ સાધમ વિગેરે પૂજ્ય વર્ગની યાચિત ભક્તિરૂપ ભૂષણ ધારીને, પૂકત શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્તિક્યરૂપ લક્ષણ લક્ષિત સમકિત રત્નને મન, વચન, તથા કાયાની શુદ્ધિથી અજવાળી શુદ્ધ કરીને સદ્ અભ્યાસના બળથી દેશ-સંયમી શ્રાવકની સીમાયે (હદે) પહોંચી શકાય છે. તે દેશ-વિરતિ ગુણ સ્થાનક પાંચમું ગણાય છે. તેમાં પાંચ અણુવ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવતને સમા વેશ થઈ જાય છે. દઢ વૈરાગી શ્રાવક સશુરૂ ગે શ્રાવકની ૧૧ પડિમા ( પ્રતિમા ) વહે છે. પરંતુ પૂર્વેક્ત વ્રતને ધારણ કર્યો પહેલાં તેમાંના દરેકને અભ્યાસ કરી જોવે છે, જેથી તેનું પાલન કરવું કંઈક વધારે સુતર પડે છે. શ્રાવક યોગ્ય વ્રત અને પડિમાના શુભ અભ્યાસથી અનુક્રમે “સર્વ સંયમને” અધિકાર પ્રાપ્ત થાય છે. પાંચ મહાવ્રતાદિકને એમાં સમાવેશ થાય છે. એ ગુણ સ્થાનક છડું “પ્રમ' નામે ઓળખાય છે. લીધેલાં મને હાવ્રત વિગેરે જે સાવધાનપણે સાચવી તેમની શુદ્ધિ અને પુષ્ટિ કરવામાં આવે છે તે પરિણામની વિશુદ્ધિથી અપ્રમત્ત નામે
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy