SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫પુરૂષાર્થવશ્વસર્વકાર્યસિદ્ધ થાય છે માટે પુરૂષાર્થનેજ અંગીકાર કર૧૦૩ દોરાને માટે મોતીનાહારને તેડી નાંખે છે. આમ આપ ડહાપણ કરીને અંતે પશ્ચાતાપનાજ ભાગી થાય છે. આ પશ્ચાતાપ કરવાને પ્રસંગ ન આવે માટે સ્વહિત સમજપૂર્વક સાધવાને સાવધાન થઈ રહેવું જોઈએ. શાસ્ત્રકાર એગ્ય ફરમાવે છે કે જ્યાં સુધીમાં જરા આવી પીડે નહિં, વિવિધ વ્યાધિઓ વૃદ્ધિગત થાય નહિં, અને ઇંદ્રિનું બળ ઘટે નહિં ત્યાં સુધીમાં બને તેટલું ધમસાધન કરી લેવું. પછી પરવશપણે સાધન કરવું ભારે મુશ્કેલ થઈ પડશે. ४५ पुरुषार्थ वडेज सर्व कार्य सिद्ध थाय छे माटे पुरुषार्थनेज अंगीकार कर. પુરુષાર્થહીન એવા પ્રમાદી લોકોના મનના વિચાર મનમાંજ રહી જાય છે. પરંતુ પુરુષાર્થ યુક્ત પ્રમાદરહિત પુરુષના સાત્વિક વિચાર જોઈને તેની ભાગ્યદેવી પણ એવા જ વિચાર કરે છે, તેથી તે પ્રાયઃ સફલ જ થાય છે. પુરુષાર્થવંતને દુનિયામાં કંઈપણ અસાધ્ય નથી. પુરુષાર્થ વંતને મિથ્યા આડંબર રચવાની જરૂર નથી, તેમજ તેને તે આડંબર પ્રિય પણ હેત નથી. તેઓ કરે છે ઘણું અને બોલે છે ડું. તેઓ જે કંઈ વાર હિતકારી કાર્ય કરે છે તે ફક્ત સ્વકર્તવ્ય સમજીને જ કરે છે. તેથી તેમને . ત્કર્ષ કે પરોપકર્ષ કરવાના વકવ્યવહારમાં ઉતરવું પડતું નથી, અને સાર પણ એજ છે.,
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy