SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પN અનુષ્ઠાનના પાંચ પ્રકાર : ૧૮૯ : ૪ સંયમની આત્મ–હિતસાધક પ્રવૃત્તિમાં કંટાળો ન લાવ, ઉત્સાહ કાયમ રાખવો. ૫ અપૂર્વ આત્મકલ્યાણને માધી લેવાની પરમ શહા તથા ભાવ-વૈરાગ્યને ઉપજાવનારી પરમોચ્ચ-ભાવનાઓના માર્ગમાં સદા દઢપણે સ્થિત રહેવું. ૬ પૌગલિક–પદાર્થોને આ ભવમાં કે પરભવમાં ધર્મારાધનાના ફલસ્વરૂપે મેળવવાની આશંસા ન કરવી. ૭ સંયમારાધનાને અનુકૂલ પહોંચતા બલ-વીર્ય– પુરુષકાર-પરાક્રમને ગોપવવાં નહિં. ૮ સંયમની સાધનામાં કર્મવશ આવી પડતા દુખેથી ગ્લાનિ-દીનભાવ ન લાવે. ૯ શરીર પરની મૂચ્છ-મમતા-આસક્તિને સર્વથા ત્યાગ કરવા પ્રયત્નશીલ રહેવું. ૧૦ સંસારના કોઈ પણ પ્રલોભનોથી ન લોભાતાં મુક્તિના ધ્યેયમાં અખંડપણે ચોક્કસ રહેવું. ૧૧ ગમે તેટલા પરીષહ-ઉપસર્ગો આવી પડે તો પણ ચિત્તનું સમતલપણું (સમતા) ગુમાવ્યા વિના સાધનામાં એકાગ્રપણે આગેકૂચ કરવી. તે ઉપરની હિતશિક્ષાના આધારે યથાશકય જીવનનું ઘડતર કરવા મથનાર સંયમની વિશુદ્ધ આરાધના કરી શકે છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy