SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ - | મુષ્ટિજ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના ૫. તપ-સાધુ તે તપસ્વી કહેવાય, તેથી દેહની અસ્થિરતા અને સકામ-નિર્જરાને મહાન લાભ જાણી ગુરુ આજ્ઞા મુજબ શક્તિ ગેપડ્યા વિના બાહ્ય અભ્યતર તપ કરે તે. ૬. સંયમ-સાધુ પિતાની ઇન્દ્રિયોને ગૃહસ્થની જેમ ગમે ત્યાં છૂટી ન મૂકે, પણ કાબુમાં રાખે. ઈન્દ્રિયોને અસંયમ ચારિત્રને નિસાર બનાવી દે છે, માટે ચારિત્રને નિર્મળ રાખવા ઈન્દ્રિયોને સંયમ ખાસ જરૂરી છે. ૭. સત્યા-સત્યવ્રતધારી સાધુ બન્યા પછી હવે સાધુથી મનમાં પણ જૂઠ ન આવવું જોઈએ, તે બેલવાની તે એ વાત જ શી ? સત્ય બેલનારની વાણે કદી નિષ્ફળ જતી નથી. અરે! એકવાર પણ જૂઠું બોલવાથી લાંબા કાળનું તપ-સંયમ બળી જાય છે અને આત્મા વસુરાજાની જેમ દુર્ગતિમાં જાય છે. ૮, શૌચા-મનને સારા વિચારોથી પવિત્ર રાખવું તે અશુભ વિચારને રોકવા માટે સતુશાસ્ત્રોના અભ્યાસમાં ખૂબ - ચિત્ત લગાડવું જોઈએ, સાથે સત્સંગ પણ મનની આ પવિત્રતા માટે ખૂબ જરૂરી છે. ૯. આકિંચન્ય:-(અપરિગ્રહ) સંયમના પિષક ઉપકરણો સિવાય અધિક મમતાથી એકપણ ચીજ સંઘરવી તે સાધુ માટે પાપ છે. જરૂરી રાખેલા ઉપકરણ ઉપર મૂચ્છ કરવી તે પણ પાપ છે. સંયમબળ ઉપર જીવતા નિસ્પૃહી સાધુએ “ભવિષ્યમાં અમુક વસ્તુ નહિ મળે એવો કાયર નિસત્વ વિચાર કર વ્યાજબી નથી,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy