SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સાચી સ્વાધીનતામાં જ સુખ છે. ૩૧ : તે ઘણું જ અસ્પષ્ટ રેખા દેરી બતાવી છે. જેઓ સારી રીતે સંસારથી મુક્ત બનવા ઈચ્છતા હોય તેઓ જે અત્યારના અલ્પાએ બનાવી રાખેલો સદવ્યવહારાભાસ પાળે તે મુક્તદશા મેળવવાને લાયક જ નથી. અત્યારના અલ્પજ્ઞ કલ્પિત વ્યવહારને પાળવા જતાં આત્મવિકાસ–આત્મસંપત્તિથી વંચિત રહેવું પડે છે. પૂર્વના મહાપુરુષો પોતે દુઃખથી મુક્તિ મેળવીને નિત્ય સુખ તથા નિત્ય જીવન મેળવવાની ઈચ્છાવાળાને માટે જે કાંઈ વ્યવહાર બતાવી ગયા હતા તેને અત્યારના તુચ્છ પૌગલિક સુખના સ્વાર્થીઓએ ફેરવી નાખે છે. મુક્તિ મેળવવાને માટે પૂર્વ પુરુષોએ બતાવેલે વ્યવહાર બિલકુલ સરળ હતા કે જેને જડ જેવા બિલકુલ નહિ ભણેલા એવા ચેર, ધાડપાડુઓ, જંગલના જડભરતેએ જાણીને આત્મશ્રેય સાધ્યું છે. દઢપ્રહારી, ચિલાતિપુત્ર, ઈલાચીકુમાર, પ્રભ ચોર આદિ અનેક પુરુષે કેટલું ભણ્યા હતા? કયા કયા સૂત્રોનું અધ્યયન કર્યું હતું ? અત્યારને વ્યવહાર કેટલો પાળ્યો હતો? મહાપુરુષો કહી ગયા છે કે વસ્તુને વસ્તુરૂપે ઓળખી રાગ, દ્વેષ, કષાય, વિષયથી મુક્ત થઈ જાઓ. જડને જડરૂપે ઓળખશે તે તમારે રાગદ્વેષ એાછા થઈ જશે. જડને આશ્રયીને તમે લાભના અંગે જ રાગદ્વેષ કરો છે તે જ્યારે તમને જડની સર્વ સુખ તથા લાભને માટે જડતા જણાશે કે તરત જ તમે જડને સર્વથા ત્યાગ કરશે અને જડ પરની મમતા દૂર થશે કે તે જ વખતે અનેક પ્રકારના જડ તથા જડના વિકારેને મેળવીને તેના ધર્મના ઉપભેગની અભિલાષારૂપ આધિ દૂર થવાથી સાચી શાંતિ તથા સુખને અનુભવ થશે. જડથી મનવૃત્તિઓનું મુકાઈ જવાનું નામ મુક્તિ છે. હવે આ બાબતમાં અત્યારને કેટલે
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy